Fact Check: પ્રિયંકા ગાંધીની તસવીર ફરીથી થઈ ફેક દાવા સાથે વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પ્રિયંકા ગાંધીના નિકાહવાળી પોસ્ટ ફેક સાબિત થઈ હતી. તેમનાં લગ્ન કોઈ મૌલવીએ નહીં, પણ ગાંધી પરિવારના પુરોહિતે કરાવ્યાં હતાં.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). સોશિયલ મીડિયાના વિભિન્ન પ્લેટફોર્મ પર ફરી એકવાર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ દુષ્પ્રચારની ઈચ્છા સાથે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા ગાંધીના નિકાહ એક મૌલવીએ કરાવ્યા હતા. વિશ્વાસ ન્યૂઝ એકવાર પહેલાં પણ વાયરલ પોસ્ટની તપાસ કરી ચૂક્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે પ્રિયંકા ગાંધીના લગ્ન કોઈ મૌલવીએ નહીં, પરંતુ કાશ્મીરી પુરોહિતે કરાવ્યા હતા.

શું થઈ રહ્યું છે વાયરલ

ફેસબુક યૂઝર સરલા મુંદ્રાએ એક ફેસબુક ગ્રુપ પર પ્રિયંકા ગાંધીની એક તસવીરને અપલોડ કરીને દાવો કર્યો હતો : પ્રિયંકા ગાંધીના નિકાહમાં પધાર્યા હતા મહાન મૌલવી. હ#$% લોકો હિંદુ કહીને હિંદુઓનું અપમાન કરે છે. પુરાવો જોઈ લો કાયરો તમને મૂર્ખ બનાવનારા મુસ્લિમ છે. કાજી સાહેબ નિહાહ કરાવવા આવ્યા હતા.

ફેસબુક પોસ્ટના કન્ટેન્ટને અહીં જેવું છે તેવું લખવામાં આવ્યું છે. તેના આર્કાઈવ્ઝ્ડ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચની મદદ લીધી હતી. સર્ચ દરમિયાન અમને પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના લગ્નની ઘણી તસવીરો મળી છે. સર્ચ દરમિયાન અમને ડેલી ઓ નો એક આર્ટિકલ મળ્યો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગાંધી પરિવારના પુરોહિત ઈકબાલ કિશન રેઊએ પ્રિયંકા ગાંધીના લગ્નમાં પૂજા કરાવી હતી. સાથે જ, આ ખબરમાં રાહુલ ગાંધી દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. એટલે કે આ લગ્ન હિંદુ-રીતિરિવાજ મુજબ થયું હતું.

ગૂગલ સર્ચ દ્વારા અમને જાણવા મળેલ કે ઈકબાલ કિશન પંડિત સ્વરૂપ કિશન રેઊના ભાઈ છે. તેમનો જન્મ 1932 માં થયો હતો અને તેઓ પોતાના યજમાનોને ત્યાં કાશ્મીરી કર્મકાંડ કરાવતા હતા. તેઓ રેલવેમાં નોકરી પણ કરતા હતા. પ્રિયંકા ગાંધીનું લગ્ન કરાવ્યા બાદ 1996 માં તેમણે પોતાનું કામ છોડી દીધું હતું. ઈકબાલ કિશન રેઊનો પરિવાર ઘણી પેઢીઓથી નહેરૂ ગાંધી પરિવારનો યજમાન રહ્યો છે.

કોંગ્રેસ કાર્યાલયથી મળેલી જાણકારી અનુસાર, પ્રિયંકા ગાંધીનાં લગ્ન એક પંડિતે જ કરાવ્યાં હતાં. લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ થયાં હતાં. પાછલી તપાસને વિસ્તારપૂર્વક અહીં વાંચો.

તપાસના અંતિમ તબક્કામાં વિશ્વાસ ન્યૂઝે ફેક પોસ્ટ કરનાર યૂઝર્સની તપાસ કરી. ફેસબુક યૂઝર સરલા મુંદ્રાના સોશિયલ સ્કેનિંગમાં જાણવા મળેલ કે યૂઝર વાપીની રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં પ્રિયંકા ગાંધીના નિકાહવાળી પોસ્ટ ફેક સાબિત થઈ હતી. તેમનાં લગ્ન કોઈ મૌલવીએ નહીં, પણ ગાંધી પરિવારના પુરોહિતે કરાવ્યાં હતાં.

Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ