Fact Check: મોરારી બાપુની વાયરલ તસવીર અજમેર શરીફ દરગાહની નહીં, કચ્છ દરગાહની છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): રામ કથાકાર મોરારી બાપુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં કેટલાક લોકોએ હાથમાં એક ચાદરને પકડેલી જોઈ શકાય છે, જ્યારે મોરારી બાપુએ તે ચાદરની ઉપર પોતાના બંને હાથ મુકેલા છે. યુઝર્સ આ તસવીરને તાજેતરની જણાવીને દાવો કરી રહ્યા છે કે મોરારી બાપુ ચાદર ચઢાવવા અજમેર શરીફ દરગાહ પહોંચ્યા હતા.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તપાસમાં દાવો ખોટો સાબિત થયો. તસવીર તાજેતરની નથી. વાયરલ તસવીર વર્ષ 2013ની છે, જ્યારે મોરારી બાપુ કચ્છની એક દરગાહમાં ગયા હતા. તે તસવીરને હવે તાજેતરની જણાવીને શેર કરવામાં આવી રહી છે. 

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ‘સુરેશ ભાટી’ (આર્કાઇવ લિંક)એ 2 ઓગસ્ટના રોજ ફોટો શેર કર્યો અને લખ્યું, “સૂની હો ચૂકી અજમેર શરીફ દરગાહ પર પુનઃ રૌનક લૌટ આને હેતુ ચાદર ચઢા કર મન્નત માંગને પહુંચે કથિત સંત મુરારી બાપુ. અબ ઈનકા ક્યા કિયા જાય યે આપકો તય કરના હૈ.”

ફેસબુક પર અન્ય કેટલાક યુઝર્સે આ ફોટોને સમાન દાવા સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે ફોટોને ગૂગલ રિવર્સ ઇમેજથી સર્ચ કર્યો. અમને આ તસવીર વર્ષ 2013માં ઘણા ફેસબુક પેજ પર શેર થયેલી મળી. ‘Mundra city of joy’  (આર્કાઇવ લિંક) નામના ફેસબુક પેજ પર આ ફોટો 31 ડિસેમ્બર, 2013ના રોજ અપલોડ મળ્યો. તસવીરની સાથે કેપ્શનમાં લખેલું હતું, “મુન્દ્રામાં પીર હઝરત શાહ મુરાદ બુખારીની પવિત્ર દરગાહ પર “ચાદર” ચઢાવતા સંત શ્રી મોરારી બાપુ…(મુન્દ્રા સિટી ઓફ જોયનો કવર ફોટો)”

સર્ચ દરમિયાન અમને વાયરલ તસવીર ફેસબુક યુઝર ‘Mustak Ali Sama’ના ફેસબુક એકઉન્ટ પર 30 ડિસેમ્બર, 2013ના રોજ શેર થયેલી મળી. સર્ચ દરમિયાન તસવીર જેવી જ બીજી અન્ય તસવીરો ‘Fakirmamad Theba’નામના યુઝરના ફેસબુક એકાઉન્ટ પર મળી. આ તસવીરો ડિસેમ્બર 2013ના રોજ શેર કરવામાં આવી હતી. અહીં પણ આ તસવીરોને મુન્દ્રામાં આવેલી શાહ મુરાદ બુખારીની દરગાહ જણાવવામાં આવી છે. આના પરથી એ સ્પષ્ટ થયું કે આ તસવીર તાજેતરની નથી. 

અગાઉ પણ આ જ દાવા સાથે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે તેની ફેક્ટ ચેક કરીને અમે સત્ય હકીકત સામે મૂકી હતી. વાયરલ તસવીરને લઈને અમે ‘શ્રી ચિત્રકૂટ ધામ’ સાથે સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘વાઈરલ ફોટો 2013નો છે, જ્યારે મોરારી બાપુ કચ્છની દરગાહમાં ગયા હતા. તેને અજમેર સાથે કોઈ લેવાદેવા નથી. મોરારી બાપુ દરેક ધર્મમાં માને છે, આ કારણે તેઓ તમામ લોકોને મદદ પણ કરે છે.’

આ વિશે વધુ જાણકારી માટે અમે જયપુરમાં દૈનિક જાગરણના બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. 

તપાસના અંતે અમે ફેસબુક યુઝરની પ્રોફાઈલ સ્કેન કરી કે જેણે જૂની તસવીરને તાજેતરની જણાવીને શેર કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરના લગભગ 5 હજાર ફ્રેન્ડ્સ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ મોરારી બાપુની આ તસવીર અજમેર શરીફ દરગાહની નથી. આ તસવીર વર્ષ 2013ની કચ્છની દરગાહની છે, જેને તાજેતરની અજમેર શરીફ દરગાહની જણાવીને વાયરલ કરવામાં આવી રહી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ