Fact Check: દાઉદી બોહરા સમુદાયના કાર્યક્રમમાં PM મોદીએ નથી પહેરી ઈસ્લામિક ટોપી, દુષ્પ્રચારના ઈરાદાથી વાયરલ કરવામાં આવી રહી છે ફેક તસવીર

નવી દિલ્હી (વિશ્વાસ ન્યુઝ): 19 જાન્યુઆરીએ મુંબઈ મહાનગરપાલિકાના કાર્યક્રમ અને નવી મેટ્રો લાઈનના ઉદ્ઘાટન માટે મુંબઈ ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોહરા મુસ્લિમ સમુદાયના કાર્યક્રમ પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમ સાથે સંબંધિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ ઈસ્લામિક ટોપી પહેરેલા જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈસ્લામિક ટોપી પહેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં સામેલ થયા.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે. વાયરલ થઈ રહેલી તસવીર એડિટ કરીને તૈયાર કરવામાં આવી છે. તેમની મુંબઈની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ દાઉદી બોહરા સમુદાયની અલ્જામિયા-તુસ-સૈફિયાહ અરેબિક એકેડમીના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ દરમિયાન તેઓ તેમના પોશાકમાં પણ જોવા મળ્યા હતા. તેઓએ આ કાર્યક્રમના દરમિયાન ઈસ્લામિક ટોપી નથી પહેરી. વાયરલ તસવીર ફેક છે, જેને દુષ્પ્રચારના ઈરાદાથી એડિટ કરીને તૈયાર કરવામાં આવી છે.

શું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર ‘Jay Chand’એ વાયરલ તસવીર (આર્કાઇવ લિંક )ને શેર કરતાની સાથે લખ્યું છે, “મિત્રો આજે અંધ ભક્તોનું કમળનું ફૂલ મસ્જિદમાં ખીલી રહ્યું છે. ગુપચૂપ મસ્જિદમાં જવા બદલ મોદીજી તમારો આભાર વ્યક્ત કરું છું..🤣”

સોશિયલ મીડિયા પર કેટલાક અન્ય યુઝર્સે આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે.

તપાસ

10 ફેબ્રુઆરીના દૈનિક જાગરણના રિર્પોટ અનુસાર, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈના મરોલમાં અલ્જામિયા-તુસ-સૈફિયાહ અરેબિક એકેડમીના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું. રિપોર્ટના અનુસાર, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈની તેમની મુલાકાત દરમિયાન દાઉદી બોહરા સમુદાયની એક શૈક્ષણિક સંસ્થાના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું.’

રિર્પોટ અનુસાર, પીએમ મોદીએ મુંબઈના મારોલમાં અલજામિયા-તુસ-સૈફિયાહ અરેબિક એકેડમીના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું. નોંધનીય છે કે, દાઉદી બોહરા સમુદાયની પ્રાથમિક શૈક્ષણિક સંસ્થા અલજામિયા-તુસ-સૈફીયાહ અથવા સૈફી એકેડમીનું નવું પરિસર મુંબઈના એક ઉપનગર મારોલમાં છે.

ન્યૂઝ એજન્સી ANIએ પણ આ કાર્યક્રમની તસવીરોને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરી છે, જેમાં વડાપ્રધાનની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ જોવા મળી રહ્યા છે.

કોઈપણ રિર્પોટમાં વડાપ્રધાન મોદી ઈસ્લામિક ટોપી પહેરેલા જોવા નથી મળી રહ્યા. વાયરલ કૉલેજમાં બે તસવીરો જોવા મળી રહી છે. પ્રથમ તસ્વીરમાં વડાપ્રધાન ધાર્મિક નેતા સાથે જોવા મળી રહ્યા છે. સર્ચમાં આ મુલાકાતની તસવીર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઓફિશિયલ ટ્વિટર પ્રોફાઈલ પર જોવા મળી.

નીચે દર્શાવેલ કૉલેજમાં સ્પષ્ટ પણે અસલ અને ફેક તસવીરના વચ્ચેનો તફાવત જોઈ શકાય છે.

વાયરલ કોલાજમાં બીજી તસવીરમાં વડાપ્રધાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે જોવા મળે છે. આ મુલાકાતની તસવીર મુખ્યમંત્રી એકનાથ શિંદેના સત્તાવાર ટ્વિટર પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવી હતી.

નીચે દર્શાવેલ કૉલેજમાં અસલ તસવીર અને નકલી વાયરલ તસવીર વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અમારી તપાસથી સ્પષ્ટ છે કે મુંબઈમાં દાઉદી બોહરા સમુદાયની શૈક્ષણિક સંસ્થા અલજામિયા-તુસ-સૈફિયા એકેડમીના નવા પરિસરના ઉદ્ઘાટન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્લામિક ટોપી પહેરી ન હતી અને આ દાવાની સાથે વાયરલ થઈ રહેલી તસવીર ફેક છે, જેને એડિંટીંગની મદદથી તૈયાર કરવામાં આવી છે.

વધારાની પુષ્ટિ માટે અમે દૈનિક જાગરણના મુંબઈ બ્યુરો ચીફ ઓમપ્રકાશ તિવારીનો સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઈસ્લામિક ટોપી પહેરી ન હતી.

વાયરલ અને ફેક તસવીરને શેર કરનાર યુઝરે પોતાની પ્રોફાઇલમાં પોતાને લખનઉનો રહેવાસી ગણાવ્યો છે. આ પ્રોફાઇલ ખાસ વિચારધારાથી પ્રેરિત છે.

નિષ્કર્ષ: મુંબઈ યાત્રા દરમિયાન પીએમ મોદીએ દાઉદી બોહરા સમુદાયની અલ્જામિયા-તુસ-સૈફિયાહ અરેબિક એકેડમીના નવા પરિસરનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ દરમિયાન તેમણે ઈસ્લામિક ટોપી પહેરી ન હતી. ઈસ્લામિક ટોપી પહેરેલ વડાપ્રધાન મોદીની તસવીર ફેક છે, જેને દુષ્પ્રચારના ઈરાદાથી એડિટ કરીને તૈયાર કરવામાં આવી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ