Fact Check: PM મોદીના બાગેશ્વર ધામ જવાની વાત ખોટી, વાયરલ પોસ્ટમાં નથી સત્યતા

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં મીડિયાની હેડલાઈન્સમાં છે. હવે એક વીડિયોને વાયરલ કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી તો દાવો ફેક હોવાનું જાણવા મળ્યું. પીએમ મોદી ક્યારેય બાગેશ્વર ધામ નથી ગયા. વાયરલ વીડિયોમાં પીએમ મોદીના નામ અને તસવીરનો ઉપયોગ કરીને જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ

ફેસબુક યુઝર પંકજ પંચાલે 27 જાન્યુઆરીએ એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે, ‘બાગેશ્વર ધામ ગયા હતા મોદીજી.’

વાયરલ દાવાને સાચો માનીને બીજા યુઝર્સ પણ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને વાયરલ કરી રહ્યા છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે તપાસની શરૂઆત ગૂગલ ઓપન સર્ચ ટૂલથી કરી. સૌથી પહેલા વાયરલ વીડિયોના આધારે પર કીવર્ડ ટાઈપ કરીને સર્ચ કરવામાં આવ્યું હતું. અમને એક પણ એવા સમાચાર નથી મળ્યા,જે આ વાતની પુષ્ટિ કરી શકે કે પીએમ મોદી બાગેશ્વર ધામ ગયા હતા. જો પીએમ મોદી ત્યાં ગયા હોત તો આ સમાચાર ચોક્કસપણે મીડિયાની હેડલાઇન્સ બની હોત.

પીએમ મોદીની જે તસવીરનો ઉપયોગ વીડિયોના થંબનેલમાં કરવામાં આવ્યો, તે ક્યાંનો છે. ગૂગલ લેન્સ અને ગૂગલ રિવર્સ ઇમેજનો ઉપયોગ કરીને અમે નરેન્દ્ર મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ સુધી પહોંચ્યા. અહીં આઠ વર્ષ પહેલા અપલોડ એક વીડિયો મળ્યો. જેમાં પીએમ મોદીની હેર સ્ટાઈલ, જેકેટ અને હાથમાં બાંધેલો કાળો દોરો વાયરલ વીડિયો જેવો જ હતો. આ વીડિયો તે સમયનો છે, જ્યારે પીએમ મોદી 24 સપ્ટેમ્બર 2014ના રોજ કર્ણાટકના તુમકુરની સિદ્ધગંગા મઠમાં શ્રી શિવકુમાર સ્વામીને મળવા પહોંચ્યા હતા.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ધીરેન્દ્ર શાસ્ત્રીના સહયોગી સુંદર લાલ રાયકરનો સંપર્ક કર્યો. તેમણે માહિતી આપતા જણાવ્યું કે વાયરલ વીડિયો ફેક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાગેશ્વર ધામ નથી આવ્યા.

તપાસના અંતમાં ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી હતી. ફેસબુક યુઝર પંકજ પંચાલના એકાઉન્ટમાંથી અમને કોઈ ચોક્કસ માહિતી નથી મળી.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે બાગેશ્વર ધામમાં પીએમ મોદીના નામે વાયરલ થયેલો દાવો ફેક છે. પીએમ મોદી ક્યારેય બાગેશ્વર ધામ નથી ગયા. વાયરલ વીડિયોમાં પીએમ મોદી અને તેમની જૂની તસવીરનો ઉપયોગ કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ