Fact Check: PM મોદીએ નથી કરી એલ્વિશ યાદવને વોટ કરવાની અપીલ, વાયરલ ટ્વિટ છે ફેક

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): બિગ બોસ OTTની સિઝન 2 પૂરી થઈ ગઈ છે. પહેલી વાર એવું બન્યું છે કે જ્યારે વાઇલ્ડકાર્ડ કન્ટેસ્ટેન્ટ (સ્પર્ધક) તરીકે શૉમાં એન્ટ્રી લેનારા યુટ્યુબર એલ્વિશ યાદવે આ સિઝનની ટ્રોફી જીતી છે. આને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને બિગ બોસ OTT કન્ટેસ્ટેન્ટ  એલ્વિશ યાદવ માટે વોટ કરવાની અપીલ કરી હતી. પોસ્ટમાં પીએમ મોદીના કથિત ટ્વિટનો એક સ્ક્રીનશોટ પણ લાગેલો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. પીએમ મોદીના વાયરલ ટ્વિટના સ્ક્રીનશોટને એડિટિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ આવું કોઈ ટ્વિટ કર્યું ન હતું.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘સ્કૂલ લાઈફ’એ 13 ઓગસ્ટ 2023ના રોજ વાયરલ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, “PM મોદીએ એલ્વિશ યાદવની તરફેણમાં ટ્વિટ કર્યું, જેથી તેઓ બિગ બોસ OTT સિઝન 2ને જીતી શકે.”  સાથે જ પીએમ મોદીના નામે એક કથિત ટ્વિટનો સ્ક્રીનશોટ લાગેલો છે, જેના પર લખ્યું છે કે, “વોટ ફોર સિસ્ટમ.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. પરંતુ અમને કોઈપણ વિશ્વાસનીય ન્યૂઝ રિર્પોટ ન મળ્યા. પીએમ મોદીએ જો ખરેખર આવું કોઈ ટ્વિટ કર્યું હોત તો તેનાથી સંબંધિત કોઈને કોઈ રિપોર્ટ જરુર મળ્યા હોત.

તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે પીએમ મોદીના નામે વાયરલ ટ્વિટના સ્ક્રીનશોટ પર અલગ-અલગ વાતો લખેલી છે. એક પોસ્ટ પર લખ્યું છે કે, ‘વોટ ફોર સિસ્ટમ.’ જ્યારે એક બીજી પોસ્ટ પર લખ્યું છે – ‘એલ્વિશ યાદવ માટે વોટ કરો.’ આનાથી અમને વાયરલ પોસ્ટ ખોટી હોવાની શંકા થઈ.

તપાસને આગળ વધારતા અમે પીએમ મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આવું કોઈ ટ્વિટ ન મળ્યું. અમને વાયરલ સ્ક્રીનશોટ પર ધ્યાન આપ્યું તો સ્ક્રીનશોટ પર લખ્યું છે કે આ ટ્વિટને 13 ઓગસ્ટના રોજ સવારે 8.21 વાગ્યે કરવામાં આવ્યું છે. પરંતુ અમને ત્યાં આવું કોઈ ટ્વિટ ન મળ્યું. અમને જાણવા મળ્યું 13 ઓગસ્ટની માત્ર એક જ ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં દરેકને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તિરંગાના ડીપીને લગાવવા માટે કહેવામાં આવ્યું છે.

અમને પોલિટિશિયનના ટ્વિટ્સનું આર્કાઇવ રાખનાર ટૂલ પોલિટી ટ્ટિટની મદદથી પણ પીએમ મોદીના ટ્વિટર એકાઉન્ટ્સમાં સર્ચ કર્યું, પરંતુ અમને વાયરલ પોસ્ટ ત્યાં પણ ન મળી.

અમને વેબ આર્કાઇવની મદદથી પણ પીએમ મોદીના એકાઉન્ટને સર્ચ કર્યું. અમને ત્યાં પણ આવું કોઈ ટ્વિટ ન મળ્યું.

વધુ જાણકારી માટે અમે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

અંતે અમે વાયરલ પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર પેજને સર્ચ કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 2.7 મિલિયન લોકો ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ પોસ્ટમાં પીએમ મોદીના નામે કથિત ટ્વિટના સ્ક્રીનશોટને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. પીએમ મોદીના વાયરલ ટ્વિટના સ્ક્રીનશોટને એડિટિંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં પીએમ મોદીએ આવું કોઈ ટ્વિટ કર્યું ન હતું.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ