Fact Check: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધરપકડને લઈને નથી કર્યું કોઈ ટ્વીટ, વાયરલ સ્ક્રીનશોટ ફેક છે

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા વિધાનસભામાં જૂના બજેટના કેટલાક પાના વાંચ્યા બાદથી સોશિયલ મીડિયામાં એક ટ્ટીટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અશોક ગેહલોતે આ ટ્વીટ કરીને લખ્યું છે કે વિધાનસભામાં કામ કરતા સાંચોરના રહેવાસી સિનિયર ક્લાર્ક સુનીલ વિશ્નોઈની બજેટ સ્પીચમાં પેજ બદલવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એસઓજીની પૂછપરછ ચાલુ છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ ટ્વીટની તપાસ કરી. આ દાવો ફેક સાબિત થયો છે. આવું કોઈ ટ્વીટ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નથી કર્યું.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Ajay S Gogal Sanchoreએ 11 ફેબ્રુઆરીના રોજ અશોક ગેહલોતના નામે વાયરલ ફેક ટ્વીટને પોસ્ટ કરીને લખ્યું, “બજેટને લીક કરવામાં સાંચોરના રહેવાસી સિનિયર ક્લાર્કનો હાથ હોવાનું આવ્યું સામે. હવે બીજુ શું બાકી રહી ગયું છે.”

આ ટ્વીટમાં અશોક ગેહલોતના ટ્વિટર હેન્ડલના નામ અને તસવીરનો ઉપયોગ કરીને લખવામાં આવ્યું છે કે, “વિધાનસભામાં કામ કરતા સાંચોરના રહેવાસી સિનિયર ક્લાર્ક સુનીલ વિશ્નોઈની બજેટ સ્પીચમાં પાના બદલવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એસઓજીની પૂછપરછ ચાલુ છે.”

પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરી રહ્યા છે. તેનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ ટ્વીટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા તેને ધ્યાનથી જોયું. તેના ફોર્મેટ પરથી જ સમજાઈ ગયું હતું કે આ ફેક ટ્વીટ છે. વિશ્વાસ ન્યૂઝે અશોક ગેહલોતનું ટ્વિટર હેન્ડલ સ્કેન કર્યું. અહીં અમને એવું કોઈ ટ્વીટ મળ્યું નથી, જેમાં કોઈની ધરપકડ કરવાનું કહેવામાં આવ્યું હોય.

તપાસ દરમિયાન રાજસ્થાનના માહિતી અને જનસંપર્ક વિભાગની ફેક્ટ ચેકિંગ ટીમ દ્વારા એક પોસ્ટ મળી આવી. વાયરલ પોસ્ટને નકલી ગણાવતા લખવામાં આવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ સ્ક્રીનશોટ તથ્યહીન છે. આ સાચો નથી. આ ફેક ન્યૂઝ છે.” આ પોસ્ટને નીચે જોઈ શકાય છે.

DIPR રાજસ્થાન ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર પણ વાયરલ પોસ્ટની સત્યતા દર્શાવતું ટ્વીટ જોવા મળ્યું. આને 11 ફેબ્રુઆરી 2023ના રોજ કરવામાં આવ્યું હતું.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારાતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઓએસડી (કોમ્યુનિકેશન)નો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. તેમણે પુષ્ટિ કરી કે આ ફેક છે. આમાં કોઈ સત્ય નથી.

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર ફેસબુક યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર અજય એસ ગોગલ સાંચોરના સોશિયલ સ્કેનીંગમાં જાણવા મળ્યું કે યુઝરને પાંચ હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર રાજસ્થાનનો છે. આ એકાઉન્ટ સપ્ટેમ્બર 2018 ના રોજ બનાવવામાં આવ્યું હતું.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નામે વાયરલ કરાયેલ ટ્વીટ નકલી હોવાનું જાણવા મળ્યું. તેમણે આવું કોઈ ટ્વીટ કર્યું નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ