Fact Check: દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહની વાયરલ તસવીર ફેક દાવાની સાથે કરાઈ રહી છે શેર

દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહની વાયરલ તસવીરને ફેક દાવાની સાથે વાયરલ કરવામાં આવી છે. વાયરલ તસવીર બે વર્ષ જૂના પ્રદર્શન વખતની છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહની તસવીર વાયરલ થઈ રહી છે. આમાં તેઓ ફાટેલા કપડામાં જોવા મળી રહ્યા છે. આ તસવીરની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દિગ્વિજય સિંહના બંગલામાં થયેલી અથડામણમાં તેમના પુત્ર જયવર્ધનના કપડા ફાડવામાં આવ્યા હતા.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તપાસ દરમિયાન દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ તસવીર બે વર્ષ જૂની છે. તે સમયે ભોપાલમાં યુથ કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં જયવર્ધન સિંહના કપડા ફાટી ગયા હતા. હવે કેટલાક યુઝર્સ જૂના ફોટાને ખોટા દાવાની સાથે વાયરલ કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક પેજ ‘આયેગા તો મોદી હી -Team Namo’એ 18 ઓક્ટોબરે જયવર્ધન સિંહના બે તસવીરોના એક કોલાજને વાયરલ કરીને દાવો કર્યો કે, “કમલનાથના નિવેદન બાદ દિગ્વિજય સિંહના બંગલા પર થયેલી અથડામણમાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ જયવર્ધન સિંહનો કુર્તો અને પાયજામો ફાડ્યો હતો. કોંગ્રેસમાં કપડા ફાડો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.”

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે. પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

જયવર્ધન સિંહની વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે સૌથી પહેલા ગૂગલ લેન્સ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટૂલના માધ્યમથી સર્ચ કરતા અમને વેબદુનિયા હિન્દીની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો મળ્યો. 11 ઓગસ્ટ, 2021ના ​​રોજ અપલોડ કરાયેલ આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભોપાલમાં કોંગ્રેસના પ્રદર્શન દરમિયાન દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહના કપડાં ફાટ્યા. આ રિપોર્ટમાં તે તસવીરોને પણ જોઈ શકાય છે, જે અત્યારે વાયરલ થઈ રહી છે. 

સર્ચ દરમિયાન ઘણી વેબસાઈટ પર વાયરલ તસવીરો મળી. ભાસ્કર.કોમ પર બે વર્ષ પહેલા પ્રકાશિત થયેલા એક સમાચારમાં પણ જયવર્ધન સિંહની હાલમાં વાયરલ થયેલી તસવીરનો ઉપયોગ કરીને જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના વિરોધ દરમિયાન જયવર્ધન સિંહના કપડા ફાટી ગયા. આ સમાચાર અહીં વાંચો.

ન્યૂઝ 18ની વેબસાઈટ પર 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, “ભોપાલમાં સરકાર વિરુદ્ધ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં જયવર્ધન સિંહનો કુર્તો ફાટી ગયો હતો. યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા જયવર્ધન પર વોટર કેનનથી પાણી છોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉગ્ર લાઠીચાર્જને પગલે ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન જયવર્ધન સિંહનો કુર્તો અને પાયજામો બંને ફાટી ગયા હતા. આ સમાચારને અહીં વાંચી શકાય છે.”

વાયરલ કોલાજ અમને 12 ઓગસ્ટ 2021ના રોજ One India.com પર પ્રકાશિત થયેલા સમાચારમાં મળ્યો. તેને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

વાયરલ થઈ રહેલા કોલાજમાં હાજર એક તસવીર અમને જયવર્ધન સિંહના એક્ટ હેન્ડલ પર મળી. 11 ઓગસ્ટ, 2021ના ​રોજ તસવીરને પોસ્ટ કરીને લખ્યું હતું કે મહંગાઈ સે બચાને, ઈસ વતન કે લીયે. હર જુલ્મ મંજૂર હૈ, ઈસ તન કે લીયે. 

અમારી અહીં સુધીની તપાસથી એ સ્પષ્ટ થાય છે કે જયવર્ધન સિંહની જે તસવીર વાયરલ થઈ રહી છે તે તાજેતરની નથી. આ બે વર્ષ પહેલા થયેલા એક પ્રદર્શનની છે. વાયરલ તસવીરને લઈને અમે મધ્યપ્રદેશના નઈદુનિયાના પોલિટિકલ એડિટર ધનંજય પ્રતાપ સિંહનો સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે આ પોસ્ટ ફેક છે, પોસ્ટમાં જે દાવો કરવામાં આવી રહ્યો છે, એવી અહીં કોઈ ઘટના બની નથી. 

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા કોંગ્રેસ નેતા કમલનાથના મીડિયા સલાહકાર પીયૂષ બબલનો સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. તેમણે તેમને ફેક ગણાવી. 

જયવર્ધન સિંહની તસવીરોના જૂના કોલાજને ખાટા દાવાની સાથે શેર કરનાર ફેસબુક પેજ ‘આયેગા તો મોદી હી – ટીમ નમો’નું સોશિયલ સ્કેનિંગ કરવામાં આવ્યું. અમને જાણવા મળ્યું કે આ પેજને 14 હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: દિગ્વિજય સિંહના પુત્ર જયવર્ધન સિંહની વાયરલ તસવીરને ફેક દાવાની સાથે વાયરલ કરવામાં આવી છે. વાયરલ તસવીર બે વર્ષ જૂના પ્રદર્શન વખતની છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ