Fact Check: રામનવમીના દિવસે ઈન્ટરવ્યૂ દરમિયાન CM શિંદેનો મટન ખાવાનો દાવો ફેક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે એકનાથ શિંદેના મટન ખાવાનો વાયરલ દાવો ખોટો છે. તેમણે મટન નહીં, પણ શાકાહારી ભોજન ખાધું હતું. વાસ્તવમાં કર્લી ટેલ્સ નામના એક શૉની એન્કર કામિયા જાની એકનાથ શિંદેની સાથે રામ નવમીના અવસર પર લંચ કરવા અને ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચી હતી. તે દરમિયાન બંનેએ લંચમાં રીંગણનું શાક, પટોરી વડી અને રીંગણનું ભરતું ખાધું હતા. આ ઈન્ટરવ્યુની તસવીરને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

Fact Check: રામનવમીના દિવસે ઈન્ટરવ્યૂ દરમિયાન CM શિંદેનો મટન ખાવાનો દાવો ફેક

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની એક તસવીરને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે નવરાત્રીના અવસર પર તેમણે મટન ખાધું.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. તેમણે મટન નહીં, પણ શાકાહારી ભોજન ખાધું હતું. વાસ્તવમાં કર્લી ટેલ્સ નામના એક શૉની એન્કર કામિયા જાની એકનાથ શિંદેની સાથે રામ નવમીના અવસર પર લંચ કરવા અને ઈન્ટરવ્યુ લેવા માટે પહોંતી હતી. તે દરમિયાન બંનેએ લંચમાં રીંગણનું શાક, પટોરી વડી અને રીંગણનું ભરતું ખાધું હતા. આ ઈન્ટરવ્યુની તસવીરને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ભૂષણ રવિદાસે વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “નવરાત્રીમાં તેજસ્વી યાદવના માછલી ખાવા પર છાતી પીટતી…ગોડી મીડિયાના દલાલ એન્કર એકનાથ શિદેના મટન ખાવા પર  ચુપ કેમ?” કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે.

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ તસવીર સાથે જોડાયેલો એક વીડિયો કર્લી ટેલ્સ નામના એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 18 એપ્રિલ, 2024ના રોજ અપલોડ મળ્યો. અહી અપાયેલી માહિતી અનુસાર, એન્કર કામિયા જાની એકનાથ શિંદેની સાથે રામ નવમીના અવસર પર લંચ કરવા માટે અને ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચી હતી. બંનેએ શાકાહારી ભોજન ખાધું હતું. વીડિયોમાં કામિયા જાની સીએમ શિંદેને પ્રશ્ન પૂછે છે કે શું તમે જણાવી શકો કે થાળીમાં કઈ-કઈ વાનગીઓ છે. તેના જવાબમાં તેઓ કહે છે કે, રીંગણનું શાક, પટોરી વડી અને રીંગણનું ભરતું. તેઓ કામિયા જાનીને પટોરી વડી કેવી રીતે ખાવામાં આવે છે તેના વિશે પણ જણાવે છે.

એન્કર કામિયા જાનીએ પણ આ વીડિયોને શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, રામ નવમીના અવસર પર મેં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે વેજ પટોરી વડી ખાધી. ગામડાની મહિલાઓએ આ ભોજનને બનાવ્યું હતું.

વધુ જાણકારી માટે અમે એકનાથ શિંદેના પીઆરઓ વિનાયક પાત્રુડકર સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. તેમણે માંસાહારી ભોજન નહીં, પરંતુ શુદ્ધ શાકાહારી ભોજન કર્યું હતું. વિપક્ષી પાર્ટીઓ એકનાથ શિંદેની છબીને ખરાબ કરવા માટે આવી ફેક પોસ્ટને શેર કરી રહ્યા છે.

છેલ્લે અમે ફોટોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે, યુઝર એક વિચારધારા સાથે જોડાયેલી પોસ્ટને શેર કરે છે. યુઝરે પ્રોફાઇલ પર પોતાને બિહારનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે એકનાથ શિંદેના મટન ખાવાનો વાયરલ દાવો ખોટો છે. તેમણે મટન નહીં, પણ શાકાહારી ભોજન ખાધું હતું. વાસ્તવમાં કર્લી ટેલ્સ નામના એક શૉની એન્કર કામિયા જાની એકનાથ શિંદેની સાથે રામ નવમીના અવસર પર લંચ કરવા અને ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચી હતી. તે દરમિયાન બંનેએ લંચમાં રીંગણનું શાક, પટોરી વડી અને રીંગણનું ભરતું ખાધું હતા. આ ઈન્ટરવ્યુની તસવીરને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ