X
X

Fact Check: રામનવમીના દિવસે ઈન્ટરવ્યૂ દરમિયાન CM શિંદેનો મટન ખાવાનો દાવો ફેક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે એકનાથ શિંદેના મટન ખાવાનો વાયરલ દાવો ખોટો છે. તેમણે મટન નહીં, પણ શાકાહારી ભોજન ખાધું હતું. વાસ્તવમાં કર્લી ટેલ્સ નામના એક શૉની એન્કર કામિયા જાની એકનાથ શિંદેની સાથે રામ નવમીના અવસર પર લંચ કરવા અને ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચી હતી. તે દરમિયાન બંનેએ લંચમાં રીંગણનું શાક, પટોરી વડી અને રીંગણનું ભરતું ખાધું હતા. આ ઈન્ટરવ્યુની તસવીરને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની એક તસવીરને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે નવરાત્રીના અવસર પર તેમણે મટન ખાધું.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. તેમણે મટન નહીં, પણ શાકાહારી ભોજન ખાધું હતું. વાસ્તવમાં કર્લી ટેલ્સ નામના એક શૉની એન્કર કામિયા જાની એકનાથ શિંદેની સાથે રામ નવમીના અવસર પર લંચ કરવા અને ઈન્ટરવ્યુ લેવા માટે પહોંતી હતી. તે દરમિયાન બંનેએ લંચમાં રીંગણનું શાક, પટોરી વડી અને રીંગણનું ભરતું ખાધું હતા. આ ઈન્ટરવ્યુની તસવીરને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ભૂષણ રવિદાસે વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “નવરાત્રીમાં તેજસ્વી યાદવના માછલી ખાવા પર છાતી પીટતી…ગોડી મીડિયાના દલાલ એન્કર એકનાથ શિદેના મટન ખાવા પર  ચુપ કેમ?” કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે.

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને વાયરલ તસવીર સાથે જોડાયેલો એક વીડિયો કર્લી ટેલ્સ નામના એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 18 એપ્રિલ, 2024ના રોજ અપલોડ મળ્યો. અહી અપાયેલી માહિતી અનુસાર, એન્કર કામિયા જાની એકનાથ શિંદેની સાથે રામ નવમીના અવસર પર લંચ કરવા માટે અને ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચી હતી. બંનેએ શાકાહારી ભોજન ખાધું હતું. વીડિયોમાં કામિયા જાની સીએમ શિંદેને પ્રશ્ન પૂછે છે કે શું તમે જણાવી શકો કે થાળીમાં કઈ-કઈ વાનગીઓ છે. તેના જવાબમાં તેઓ કહે છે કે, રીંગણનું શાક, પટોરી વડી અને રીંગણનું ભરતું. તેઓ કામિયા જાનીને પટોરી વડી કેવી રીતે ખાવામાં આવે છે તેના વિશે પણ જણાવે છે.

એન્કર કામિયા જાનીએ પણ આ વીડિયોને શેર કર્યો છે. તેમણે વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, રામ નવમીના અવસર પર મેં મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે વેજ પટોરી વડી ખાધી. ગામડાની મહિલાઓએ આ ભોજનને બનાવ્યું હતું.

વધુ જાણકારી માટે અમે એકનાથ શિંદેના પીઆરઓ વિનાયક પાત્રુડકર સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. તેમણે માંસાહારી ભોજન નહીં, પરંતુ શુદ્ધ શાકાહારી ભોજન કર્યું હતું. વિપક્ષી પાર્ટીઓ એકનાથ શિંદેની છબીને ખરાબ કરવા માટે આવી ફેક પોસ્ટને શેર કરી રહ્યા છે.

છેલ્લે અમે ફોટોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે, યુઝર એક વિચારધારા સાથે જોડાયેલી પોસ્ટને શેર કરે છે. યુઝરે પ્રોફાઇલ પર પોતાને બિહારનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે એકનાથ શિંદેના મટન ખાવાનો વાયરલ દાવો ખોટો છે. તેમણે મટન નહીં, પણ શાકાહારી ભોજન ખાધું હતું. વાસ્તવમાં કર્લી ટેલ્સ નામના એક શૉની એન્કર કામિયા જાની એકનાથ શિંદેની સાથે રામ નવમીના અવસર પર લંચ કરવા અને ઈન્ટરવ્યુ લેવા માટે પહોંચી હતી. તે દરમિયાન બંનેએ લંચમાં રીંગણનું શાક, પટોરી વડી અને રીંગણનું ભરતું ખાધું હતા. આ ઈન્ટરવ્યુની તસવીરને હવે ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહી છે.

  • Claim Review : સીએમ એકનાથ શિંદેએ નવરાત્રિમાં મટન ખાધું.
  • Claimed By : ફેસબુક યુઝર ભૂષણ રવિદાસ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later