Fact Check: CM કેજરીવાલને હાલમાં નથી મારી કોઈએ થપ્પડ, ખોટા દાવા સાથે 5 વર્ષ જૂનો વીડિયો વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વર્ષ 2019માં બનેલી ઘટનાનો વીડિયો છે. ખરેખર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સીએમ કેજરીવાલ દિલ્હીના મોતી નગર વિસ્તારમાં રોડ શૉ કરી રહ્યા હતા. આ સમયે સુરેશ ચૌહાણ નામના શખ્સે આવીને તેમને થપ્પડ મારી હતી.

Fact Check: CM કેજરીવાલને હાલમાં નથી મારી કોઈએ થપ્પડ, ખોટા દાવા સાથે 5 વર્ષ જૂનો વીડિયો વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ મારતા એક શખ્સનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચાર કરી રહેલા અરવિંદ કેજરીવાલને કોઈએ થપ્પડ મારી. 

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વર્ષ 2019માં બનેલી ઘટનાનો વીડિયો છે. ખરેખર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સીએમ કેજરીવાલ દિલ્હીના મોતી નગર વિસ્તારમાં રોડ શૉ કરી રહ્યા હતા. આ સમયે સુરેશ ચૌહાણ નામના શખ્સે આવીને તેમને થપ્પડ મારી હતી.

શું થઈ રહ્યું છે વાયરલ ?

ઈન્સ્ટાગ્રામ યુઝર sanatan_hindu56 એ વાયરલ વીડિયો શેર કર્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે, ”ચૂંટણી થપ્પડ વિના અધૂરી લાગી રહી હતી. આ જોઈને મારા દિલને ઠંડક પહોંચી. અરવિંદ કેજરીવાલનું જેલમાંથી નીકળતાં જ સ્વાગત થયું.”

પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.

તપાસ

વાયરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. અમે દાવા સાથે સંબંધિત કોઈપણ તાજેતરના મીડિયા રિપોર્ટ નથી મળ્યા. અમને હિન્દુસ્તાન ટાઈમ્સની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. વીડિયો 4 મે 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, વાયરલ વીડિયો વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી વખતનો છે.

પ્રાપ્ત માહિતીના આધારે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને ન્યૂઝ 18ની વેબસાઈટ પર દાવા સાથે સંબંધિત રિપોર્ટ મળ્યો. રિપોર્ટને 5 મે 2019 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અપાયેલી જાણકારી અનુસાર, કેજરીવાલ દિલ્હીના મોતી નગર વિસ્તારમાં બ્રિજેશ ગોયલના પ્રચાર માટે આવ્યા હતા અને રોડ શૉ કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ આવીને કેજરીવાલને થપ્પડ મારી દીધી હતી. આ વ્યક્તિની ઓળખ 33 વર્ષીય સુરેશ ચૌહાણ તરીકે થઈ હતી.

10 મે 2019ના રોજ NDTV વેબસાઈટ પર પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર, હુમલાખોર સુરેશે પોલીસને કહ્યું કે તેને કોઈએ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવા માટે કહ્યું નથી. તે કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. તેને ખબર નથી કે તેણે કેજરીવાલ પર શા માટે હુમલો કર્યો. તેને તેની ભૂલ બદલ પસ્તાવો છે.

વધુ માહિતી માટે અમે દિલ્હી દૈનિક જાગરણ ખાતે આમ આદમી પાર્ટીને કવર કરતા મુખ્ય સંવાદદાતા વીકે શુક્લા સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો  અત્યારનો નથી, પરંતુ વર્ષ 2019નો છે.

અંતે અમે ખોટા દાવાની સાથે વીડિયોને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે. યુઝરને 1600થી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વાસ્તવમાં આ વર્ષ 2019માં બનેલી ઘટનાનો વીડિયો છે. ખરેખર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સીએમ કેજરીવાલ દિલ્હીના મોતી નગર વિસ્તારમાં રોડ શૉ કરી રહ્યા હતા. આ સમયે સુરેશ ચૌહાણ નામના શખ્સે આવીને તેમને થપ્પડ મારી હતી.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ