તથ્ય તપાસ: ના, કારેલાનો રસ નવિન કોરોનાવાયરસને મટાડી શકતો નથી, આરોગ્ય નિષ્ણાતોએ વાઈરલ દાવાને રદિયો આપ્યો.

કારેલાનું સેવન કરવાનુ દાવો કરનારી પોસ્ટ નવિન કોરોનાવાયરસને 2 કલાકમાં મટાડી શકે છે તે દાવો ખોટો છે. બિહાર આરોગ્ય વિભાગે આવું કોઈ નિવેદન જારી કર્યું નથી.

તથ્ય તપાસ: ના, કારેલાનો રસ નવિન કોરોનાવાયરસને મટાડી શકતો નથી, આરોગ્ય નિષ્ણાતોએ વાઈરલ દાવાને રદિયો આપ્યો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કારેલાનો રસ 2 કલાકમાં નવિન કોરોનાવાયરસનો અસરકારક રીતે ઉપચાર કરી શકે છે. આ પોસ્ટમાં બિહારના આરોગ્ય વિભાગના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના લીધેીવું જાહેર કરવામાં આવે છે કે આ માહિતીને તેમના દ્વારા આપવામાં આવી હતી. વિશ્વાસ ન્યૂઝે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વાયરલ દાવો ખોટો છે. તબીબી નિષ્ણાતોએ એમ કહીને દાવાને નકારી કાઢયો છે કે આ વાયરલ દાવાને સમર્થન આપનારા કોઈ પુરાવા નથી.

દાવો


મોહમ્મદ શાહિદ નામના યુઝરે ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે: કોરોનાવાયરસની સારવાર મળી આવી છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢયું છે કે કારેલા રસનુ સેવન કરવાથી 2 કલાકમાં કોરોનાવાયરસ મટી જશે. તેમાં બિહાર આરોગ્ય વિભાગ પટનાનું નામ પણ જણાવવામાં આવ્યું છે. પોસ્ટનું આર્ચીવ કરેલું સંસ્કરણ અહીં ચકાસી શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે બિહારના વિભાગના રોગ નિયંત્રણ અને પબ્લિક હેલ્થ વિભાગના ચીફ ડાયરેક્ટર ડો. નવીનચંદ્ર પ્રસાદનો સંપર્ક કરીને તેની તપાસ શરૂ કરી હતી. તેમણે કહ્યું: “આ દાવો ખોટો છે. અમે આવું કોઈ નિવેદન જારી કર્યું નથી. આ એકદમ ખોટી અફવા છે. આ દાવાને સમર્થન આપતા કોઈ પુરાવા નથી.”

તેનો અર્થ એમ કે વાયરલ દાવાને બિહાર સરકારના આરોગ્ય વિભાગનો હોવાનુ ખોટી રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યું છે.

કારેલા કોરોનાવાયરસને મટાડી શકે છે કે કેમ તે અંગેના અહેવાલો શોધીને અમે વધુ તપાસ કરી. સાયંસ ડાયરેક્ટમાં પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કારેલા ખાવાથી કેટલાક સ્વાસ્થ્યના લાભ થાય છે. પરંતુ, ક્યાંય પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કારેલા 2 કલાકમાં કોરોનાવાયરસને મટાડી શકે છે.

વિશ્વાસ ન્યૂઝે આયુષ મંત્રાલયના ફાર્માકોવિલેન્સ અધિકારી, ડો. વિમલ એન સાથે પણ વાત કરી હતી. તેમણે એમ કહીને પણ દાવાને નકારી કાઢયો: “આ બનાવટી છે. કારેલા એ કોરોનાવાયરસનો ઇલાજ નથી.”

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ પણ ટ્વિટરનું એક નિવેદન જારી કર્યું છે અને જણાવ્યું છે કે કારેલાનો રસ કોરોનાવાયરસ મટાડી શકતો નથી. તે ખોટો દાવો છે.

સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એંન્ડ પ્રીવેંશન મુજબ, હાલમાં 2019-nCoV ચેપને રોકવા માટે કોઈ રસી નથી. જો કે, શ્વસન વાયરસના ફેલાવાને રોકવા માટે નિવારણના પગલાઓ લઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે આવી જ વાયરલ પોસ્ટ્સને કાઢી નાંખી છે જેણે કોરોનાવાયરસ વિશે ખોટી માહિતી ફેલાવી હતી. આ પોસ્ટ્સ હેલ્થ ફેક્ટ ચેક પૃષ્ઠ પર ચકાસી શકાય છે.

निष्कर्ष: કારેલાનું સેવન કરવાનુ દાવો કરનારી પોસ્ટ નવિન કોરોનાવાયરસને 2 કલાકમાં મટાડી શકે છે તે દાવો ખોટો છે. બિહાર આરોગ્ય વિભાગે આવું કોઈ નિવેદન જારી કર્યું નથી.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ