Fact Check : અસદુદ્દીન ઓવૈસીએ ભજન નથી ગાયું,વાયરલ વીડિયો એડિટેડ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)| સોશિયલ મીડિયા પર અસદુદ્દીન ઓવૈસીના બે વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં તેઓ કૃષ્ણ અને સુદામાનું ભક્તિગીત ‘અરે દ્વારપાલો’ ગાતા જોવા મળે છે. જ્યારે બીજા વીડિયોમાં તેઓ માં દુર્ગાનું ભજન ગાતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે અસદુદ્દીન ઓવૈસીએ એક સભામાં ભગવાન શ્રી કૃષ્ણનું ભજન ગાયું હતું.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે અસદુદ્દીન ઓવૈસીના બંને વાયરલ વીડિયો એડિટેડ છે. પહેલા વીડિયોમાં તેઓ મુસ્લિમ વિરોધી અભિયાન અભિયાન (anti-muslim campaign) વિશે ભાષણ આપતા નજરે પડે છે, જેના ઓડિયોને એડિટ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું ભજન લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ બીજા વીડિયોમાં તેઓ શાયરી સંભળાવતા જોવા મળી રહ્યા છે, જેના ઓડિયોને માં દુર્ગાના ભજન સાથે બદલી દેવામાં આવ્યો છે.

શું છે વાયરલ વીડિયોમાં?

ફેસબુક યુઝર શૈલેન્દ્ર વર્માએ વાયરલ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ઓવૈસી સાહેબ ભજન ગાઈ રહ્યા છે. “

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

ફેસબુક યુઝર પ્રકાશ સિંહે વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ઓવૈસી ભજન ગાવા લાગ્યા.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર ઘણા કીવર્ડ્સ દ્વારા સર્ચ કર્યું, પરંતુ અમને વાયરલ દાવા સાથે સંબંધિત કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળ્યો નથી.

વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે વીડિયોની ઘણી કીફ્રેમ્સ કાઢી અને તેને ગૂગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કર્યું. આ સમય દરમિયાન અમને અસલી વીડિયો ન્યૂઝ18 ઉર્દૂની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો મળ્યો. આ વીડિયોને 26 ઓક્ટોબર 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આપવામાં આવેલી માહિતી મુજબ, વાયરલ વીડિયો કર્ણાટકના બીજાપુરમાં યોજાયેલી એક રેલીનો છે. કર્ણાટકમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા તેઓ રેલીને સંબોધિત કરવા પહોંચ્યા હતા. વીડિયોમાં તેઓને ચૂંટણી અને મુસ્લિમ વિરોધી અભિયાનો વિશે બોલતા સાંભળી શકાય છે. વીડિયો જોયા બાદ અમને જાણવા મળ્યું કે, તેઓ આ વીડિયોમાં ક્યાંય ભજન નથી ગાતા. એડિટિંગની મદદથી ઓડિયોને જોડવામાં આવ્યો છે.

બીજા વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને અસલી વીડિયો ન્યૂઝ18 ઉર્દૂની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલો મળ્યો. આ વીડિયો 14 ઓક્ટોબર 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો. મૂળ વીડિયોમાં ભજન નહીં, પરંતુ તેઓ શાયરી સંભળાવતા જોવા મળી રહ્યા છે.

વધુ માહિતી માટે અમે AIMIMના પ્રવક્તા મોહમ્મદ સલમાનનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. વિપક્ષી પાર્ટીઓ જાણી જોઈને આ રીતે વીડિયોને એડિટ કરીને શેર કરી રહી છે, જેથી તેઓ અસદુદ્દીન ઓવૈસીની છબીને ખરાબ કરી શકે.

તપાસના અંતે વિશ્વસ ન્યૂઝે ફેક દાવાને શેર કરનાર ફેસબુક યુઝરના હેન્ડલનું સોશિયલ સ્કેનિંગ કર્યું હતું. ફેસબુક પર યુઝરના 677 ફ્રેન્ડ્સ છે અને 174 લોકો યુઝરને ફોલો છે. પ્રોફાઈલ પર આપવામાં આવેલી જાણકારી મુજબ યૂઝર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે ભજન ગાતા અસદુદ્દીન ઓવૈસીના બંને વાયરલ વીડિયો એડિટેડ છે. પહેલા વીડિયોમાં તેઓ મુસ્લિમ વિરોધી અભિયાન વિશે ભાષણ આપતા નજરે પડે છે, જેના ઓડિયોને એડિટ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું ભજન લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે બીજા વીડિયોમાં તેઓ શાયરી સંભળાવતા જોવા મળી રહ્યા છે, જેના ઓડિયોને મા દુર્ગાના ભજન સાથે બદલી દેવામાં આવ્યો છે.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ