X
X

Fact Check: શિવરાજ સિંહ ચૌહાણ અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની મુલાકાતનો 7 મહિના જૂનો વીડિયો હવે વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો સાત મહિના જૂનો હોવાનું સાબિત થયું. ચૂંટણીમાં મળેલી જીત સાથે આ વીડિયોને કોઈ સંબંધ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તેમને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સાથે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ વીડિયોને આ દાવાની સાથે વાયરલ કરી રહ્યા છે કે જીત બાદ શિવરાજ સિંહ ચૌહાણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળવા પહોંચ્યા હતા. 

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ વીડિયો જૂનો છે. વાસ્તવમાં આ વીડિયો એપ્રિલ 2023નો છે. તે સમયે વિદિશામાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા થઈ રહી હતી. મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચ્યા હતા. તે સમયના વીડિયોને હવે કેટલાક યુઝર્સ ચૂંટણીમાં જીત પછીનો જણાવીને વાયરલ કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ અર્જુન રાજપૂતે 4 ડિસેમ્બરે એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે, “મુખ્યમંત્રી બાગેશ્વર ધામ સરકારને મળવા પહોચ્યા.”

વીડિયોમાં અલગથી ‘જાગ જાઓ રે. જીત ગઈ બીજેપી’ના  ઓડિયોને ઉમેરવામાં આવ્યો છે.

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. વીડિયોને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના વીડિયોની તપાસ કરવા માટે અમે પહેલા તેના કેટલાક સ્ક્રીનશોટ લીધા. પછી તેને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કર્યા. અમને વાયરલ વીડિયો સંબંધિત સમાચાર ઘણી ન્યૂઝ વેબસાઈટ પર મળ્યા.

નવભારત ટાઈમ્સ ડોટ કોમ પર 12 એપ્રિલ 2023ના રોજ પ્રકાશિત એક સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે, ”ભોપાલને અડીને આવેલા વિદિશા જિલ્લામાં બાગેશ્વર મહારાજ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રામકથા સંભળાવી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળવા માટે હજારોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. એમપીના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ પણ આજે વિદિશા પહોંચ્યા હતા. વિદિશામાં મુખ્યમંત્રી કથા સ્થળે પહોંચ્યા હતા.” આ સમાચારને અહીં વાંચો.

તપાસને આગળ વધારતા અમે યુટ્યુબ પર વાયરલ વીડિયોના અસલી વર્ઝનને શોધવાનું શરૂ કર્યું. સંસ્કાર ટીવી પર અસલી વીડિયો મળ્યો. 12 એપ્રિલ 2023ના રોજ 10 મિનિટનું લાંબુ વર્ઝન અપલોડ કરતી વખતે જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બાગેશ્વર ધામ સરકારને મળવા તેમની કથામાં આવ્યા.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે મધ્યપ્રદેશથી પ્રકાશિત નઈદુનિયા અખબારના છતરપુરના બ્યુરો ચીફ ભરત શર્મા સાથે સંપર્ક કર્યો. તેમણે આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે વાયરલ વીડિયો જૂનો છે.

અંતે અમે ભ્રામક પોસ્ટને શેર કરનાર યુઝરની તપાસ કરી. ઈન્સ્ટાગ્રામ યુઝર અર્જુન રાજપૂતે આ એકાઉન્ટ ઓગસ્ટ 2022ના રોજ બનાવ્યું હતું. 1782 લોકો તેને ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો સાત મહિના જૂનો હોવાનું સાબિત થયું. ચૂંટણીમાં મળેલી જીત સાથે આ વીડિયોને કોઈ સંબંધ નથી.

  • Claim Review : શિવરાજ સિંહ ચૂંટણી બાદ પહોંચ્યા બાગેશ્વર ધામ સરકારને મળવા
  • Claimed By : ઈન્સ્ટાગ્રામ યુઝર અર્જુન રાજપૂત
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later