X
X

Fact Check : રાહુલ ગાંધીએ નથી કહ્યું કે તેઓને કોઈ હિન્દુ ધાર્મિક ગ્રંથ પર નથી વિશ્વાસ, ફેક છે વાયરલ પોસ્ટનો દાવો

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધીએ ક્યાંય પણ એવું કહ્યું નથી કે તેઓને કોઈપણ હિન્દુ ધાર્મિક ગ્રંથ પર વિશ્વાસ નથી. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ.

  • By: Ashish Maharishi
  • Published: Jul 15, 2024 at 04:29 PM
  • Updated: Jul 17, 2024 at 01:06 PM

નવી દિલ્હી (Vishvas News)કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક મિનિટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે તેમને હિન્દુઓના કોઈપણ ધાર્મિક ગ્રંથો – ગીતા ભાગવત, રામાયણ, શિવ મહાપુરાણ પર કોઈ વિશ્વાસ નથી.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. વાયરલ વીડિયોમાં પણ તેમણે આવું કંઈ કહ્યું નથી, જેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક યુઝર મધુકર શર્માએ 4 જુલાઈના રોજ એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે, ”ક્યાં મરી ગયા કોંગ્રેસના હિન્દુ નેતાઓ અને મતદારો? રાહુલ ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે મને હિન્દુઓના કોઈપણ ધાર્મિક ગ્રંથ ગીતા, ભાગવત, રામાયણ, શિવ મહાપુરાણ પર કોઈ વિશ્વાસ નથી. કોંગ્રેસના બ્રાહ્મણ નેતાઓ શું તેમની જનોઈ તોડી ચૂક્યા છે, કે પછી નદીઓમાં પધરાવીને તર્પણ કરી દીધી છે? શું આવા સંજોગોમાં કોંગ્રેસી હિન્દુઓને ભાવિ મુસલમાન કહેવું ખોટું હશે ??? આ બધું સાંભળ્યા પછી, SP, TMC, AAP, કોંગ્રેસ અથવા કોંગ્રેસને સમર્થન આપતી કોઈપણ પાર્ટીને મત આપતા હિન્દુઓએ મુઠ્ઠીભર પાણીમાં ડૂબીને મરી જવું જોઈએ.”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ શેર કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે સૌથી પહેલા વીડિયોના ઓરિજિનલ વર્ઝનને સર્ચ કર્યું. વીડિયોની કીફ્રેમ્સ કાઢ્યા પછી તેને ગૂગલ લેન્સ ટૂલ વડે સર્ચ કરી. અમને Janchowk નામની એક YouTube ચેનલ પર આખો વીડિયો મળ્યો. તેને 10 સપ્ટેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં જણાવવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીએ પેરિસની સાયન્સ પીઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાતચીત કરી.

વીડિયોની 18મી મિનિટે એક વ્યક્તિને રાહુલ ગાંધીને સવાલ પૂછતા સાંભળી શકાય છે. આ પછી રાહુલ ગાંધી કહે છે, “મેં ગીતા વાંચી છે. મેં ઘણી ઉપનિષદો વાંચી છે. મેં ઘણા હિન્દુ પુસ્તકો વાંચ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે કરે છે તેનાથી હિન્દુને કંઈ લેવાદેવા નથી. મેં ક્યાંય એ નથી વાંચ્યું, કોઈ હિન્દુ પુસ્તકમાં નથી વાંચ્યું, કોઈ હિન્દુ બિદાનમાંથી કે ટેરેરાઈટ અને નુકસાન પહોંચાડે, જે તમારા કરતાં નબળા છે. હિન્દુ નેશનલિસ્ટ ખોટો શબ્દ છે. આ લોકો હિન્દુ નેશનલિસ્ટ નથી. તેમનો હિન્દુઝમ સાથે કોઈ સંબંધ નથી. તેઓને કોઈપણ કિંમતે સત્તા જોઈએ છે. આ માટે તેઓ કંઈ પણ કરી શકે છે.”

અમને સર્ચ દરમિયાન રાહુલ ગાંધીના એક્સ હેન્ડલ પર પણ વાયરલ વીડિયો મળ્યો. 10 સપ્ટેમ્બર, 2023ના રોજ પોસ્ટ કરવામાં આવેલી એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ પેરિસમાં સાયન્સ પીઓ યુનિવર્સિટી યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાત કરી.

અસલી વીડિયો અમને રાહુલ ગાંધીની યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. આમાં રાહુલ ગાંધીને  પેરિસની સાયન્સ પીઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સાથે વાત કરતા જોઈ શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના સભ્ય ગિરીશ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે જણાવ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે. વીડિયોમાં રાહુલ ગાંધીએ એવું કંઈ કહ્યું નથી, જેવો ફેક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે.

તપાસના અંતે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે યુઝર મધુકર શર્માને 711 લોકો ફેસબુક પર ફોલો કરે છે. યૂઝર નિવૃત સરકારી કર્મચારી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધીએ ક્યાંય પણ એવું કહ્યું નથી કે તેઓને કોઈપણ હિન્દુ ધાર્મિક ગ્રંથ પર વિશ્વાસ નથી. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ.

  • Claim Review : રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કોઈ હિન્દુ ધાર્મિક ગ્રંથમાં માનતા નથી.
  • Claimed By : FB user Madhukar Sharma
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later