X
X

Fact Check: 2019માં ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી પર આપેલા વાંધાજનક નિવેદનને ભ્રામક દાવા સાથે કરાઈ રહ્યું છે શેર

વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો 2019નો છે. તે સમયે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે), કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનનો ભાગ નહોતા. જૂના વીડિયોને લોકસભા ચૂંટણી બાદ ભ્રામક દાવાની સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.

  • By: Umam Noor
  • Published: Jun 25, 2024 at 12:51 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ દેશમાં NDAની સરકાર બની છે, ગઈકાલે નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાન પદ શપથ લીધા છે. તેમની સાથે તેમના મંત્રીમંડળના મંત્રીઓએ પણ શપથ લઈ લીધા છે.  જોકે, આ દરમિયાન ઈન્ડી ગઠબંધનમાં ચાલી રહેલી હલચલને લઈને ઘણા સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેએ ભૂતકાળમાં રાહુલ ગાંધી પર આપેલા નિવેદનની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. વીડિયોને તાજેતરના નિવેદનનો જણાવી યુઝર્સ અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો 2019નો છે. તે સમયે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે), કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનનો ભાગ નહોતી. જૂના વીડિયોને લોકસભા ચૂંટણી બાદ ભ્રામક દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતાં લખ્યું, “હું એકલો જ હતો જે ખુલ્લેઆમ કહેતો હતો કે રાહુલ ગાંધી જેવા ના*** વ્યક્તિને રસ્તા પર જૂતા મારવા જોઈએ: ઉદ્ધવ ઠાકરે.”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

અમારી તપાસને શરૂ કરતાં સૌથી પહેલા અમે કીવર્ડ્સની સાથે ન્યૂઝ સર્ચ કર્યા. સર્ચ કરવા પર અમને ઈન્ડિયા ટીવીની યુટ્યુબ ચેનલ પર આ વીડિયો અને તેનાથી સંબંધિત સમાચાર મળ્યા. 15 ડિસેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી પર આ નિવેદન 18 સપ્ટેમ્બર 2019ના રોજ આપ્યું હતું.

તેના આધારે અમે અમારી તપાસને આગળ વધારી અને અમને આ વીડિયો રિપબ્લિક વર્લ્ડની યુટ્યુબ ચેનલ પર 18 સપ્ટેમ્બર 2019ના રોજ અપલોડ થયેલો મળ્યો. અહીંથી મળેળી માહિતીથી જાણવા મળે છે કે રાહુલ ગાંધીએ સાવરકર પર આપેલા નિવેદન બાદ ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન આપ્યું હતું. 

તેને સંબંધિત અમને સપ્ટેમ્બર 2019ના ઘણા સમાચાર પણ મળ્યા, જેમાં ઉદ્ધવ ઠાકરેના આ નિવેદનનો ઉલ્લેખ છે. સમાચારને અહીં વાંચી શકાય છે.

વાયરલ પોસ્ટ સંબંધિત પુષ્ટિ માટે અમે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના પ્રવક્તા મંગતરામ મુંડે સાથે સંપર્ક કર્યો અને વાયરલ વીડિયો તેમની સાથે શેર કર્યો. આ અંગે તેમનું કહેવું હતું કે, ‘આ ઘણા વર્ષ જૂનો વીડિયો છે.’

ભ્રામક પોસ્ટને શેર કરનાર ફેસબુક ગ્રુપ ‘સમાજવાદી પાર્ટી – ઉત્તર પ્રદેશ સરકાર’ના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે આ ગ્રુપને 15 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ કરવામાં આવી રહેલો વીડિયો 2019નો છે. તે સમયે શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે), કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનનો ભાગ નહોતા. જૂના વીડિયોને લોકસભા ચૂંટણી બાદ ભ્રામક દાવાની સાથે ફેલાવવામાં આવી રહ્યો છે.

  • Claim Review : ઉદ્ધવ ઠાકરેએ લોકસભઆ ચૂંટણી 2024 પછી રાહુલ ગાંધી પર આ નિવેદન આપ્યું છે.
  • Claimed By : ફેસબુક ગ્રુપ ‘સમાજવાદી પાર્ટી – ઉત્તર પ્રદેશ સરકાર’
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later