X
X

Fact Check: શું અનંત અંબાણીના લગ્નની ખુશીમાં જિયો આપી રહ્યું છે ફ્રી રિચાર્જ? જાણો વાયરલ મેસેજનું સત્ય

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે Jioના નામે રિચાર્જની વાયરલ લિંક ફેક છે. Jio દ્વારા આવી કોઈ ઓફર ચલાવવામાં આવી રહી નથી. યુઝરનો ડેટા ચોરી કરવા માટે આ ફેક લિંકને શેર કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટે પણ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.

  • By: Umam Noor
  • Published: Mar 15, 2024 at 12:26 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક લિંકને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે અનંત અંબાણીના લગ્નની ખુશીમાં જિયો કંપની ભારતમાં દરેકને ત્રણ મહિના માટે 749 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે Jioના નામે રિચાર્જની વાયરલ લિંક ફેક છે. Jio દ્વારા આવી કોઈ ઓફર ચલાવવામાં આવી રહી નથી. યુઝરનો ડેટા ચોરી કરવા માટે આ ફેક લિંકને શેર કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટે પણ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર Shaktimantra.inએ 11 માર્ચ 2024ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ”12 જુલાઈના રોજ અનંત અંબાણીના લગ્ન થવાની ખુશીમાં મુકેશ અંબાણીજી આપી રહ્યા છે સમગ્ર ભારતને ફ્રીમાં ₹749નું 3 મહિનાનું ફ્રી રિચાર્જ. તો અત્યારે જ નીચેની વાદળી કલરની લિંક પર ક્લિક કરીને તમારા નંબર પર રિચાર્જ કરો.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ લિંકની સત્યતા જાણવા કરવા માટે અમે URLને ધ્યાનથી જોઈ. અમને જાણવા મળ્યું કે આ Jioની સત્તાવાર વેબસાઇટની લિંક નથી, પરંતુ એક ફેક વેબસાઇટની લિંક છે. Jioની વેબસાઇટનું URL jio.com છે, જ્યારે વાયરલ લિંકનું URL, myseoquery છે.

તપાસને આગળ વધારતા અમે સેફ્ટી ટૂલ્સની મદદથી લિંક પર ક્લિક કર્યું. અમારી સામે વેબસાઈટ ખુલીને આવી ગઈ અને રિચાર્જ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરવાનું અને આગળ ફોરવર્ડ કરવા માટે કહેવામાં આવ્યું.

અમે ઓફર વિશે જાણવા માટે જિયોની સત્તાવાર વેબસાઈટ અને સોશિયલ મીડિયાને પણ ચેક કર્યું. અમને દાવા સંબંધિત આવી કોઈ માહિતી ત્યાં મળી નથી.

વધુ જાણકારી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે આ એક ક્લિકબેટ લિંક છે. તેને વ્યૂઝ મેળવવા માટે બનાવવામાં આવી છે અને આગળ શેર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સાયબર ઠગો પેજને અથવા વેબસાઈટને મોનેટાઈઝ કરવા માટે આ પ્રકારની લિંક બનાવીને શેર કરે છે.

છેલ્લે અમે ફેક લિંકને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 95 હજાર ફોલોઅર્સ છે. યુઝર આવી ફેક લિંક્સને શેર કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે Jioના નામે રિચાર્જની વાયરલ લિંક ફેક છે. Jio દ્વારા આવી કોઈ ઓફર ચલાવવામાં આવી રહી નથી. યુઝરનો ડેટા ચોરી કરવા માટે આ ફેક લિંકને શેર કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટે પણ આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.

  • Claim Review : અનંત અંબાણીના લગ્ન પ્રસંગ પર ફ્રી રિચાર્જ
  • Claimed By : Seva Hyd
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later