X
X

Fact Check : કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજારીઓની નિમણૂક નામે ભ્રામક મેસેજ વાયરલ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ મેસેજની તપાસ કરી. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. કાશી વિશ્વનાથ મંદિરમાં 50 હજાર નહીં પરંતુ 50 પૂજારીની નિમણૂક કરવામાં આવશે.

નવી દિલ્હી (વિશ્વાસ સમાચાર)વારાણસી ખાતે આવેલા કાશી વિશ્વનાથ મંદિરના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કાશી વિશ્વનાથ મંદિરમાં 50 હજાર પૂજારીઓની જરૂર છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ મેસેજને સાચો માનીને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ મેસેજની તપાસ કરી. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. કાશી વિશ્વનાથ મંદિરમાં 50 હજાર નહીં પરંતુ 50 પૂજારીની નિમણૂક કરવામાં આવશે. મંદિર પ્રશાસને પણ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે 50 હજાર પૂજારીઓની ભરતીનો દાવો ખોટો છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર સતીશ કુમાર પિલ્લઈએ 11 ફેબ્રુઆરીએ એક પોસ્ટમાં દાવો કર્યો કે, ”બનારસના કાશી વિશ્વનાથ મંદિરને 50 હજાર પૂજારીઓની જરૂર છે. પગાર ત્રણ કેટેગરીમાં છે- 90 હજાર, 75 હજાર અને 45 હજાર. પકોડા રોજગાર બાદ હવે પાખંડનું બજાર પણ સજી ગયું છે. ટૂંક સમયમાં જ દેશને ભૂત-પ્રેત, ડાકણો ભગાવનારાઓની પણ જરૂર પડશે. BHUની ફેક્ટરી તૈયાર છે. ભારતને 1947 કરતા પણ પાછળ લઈ જવામાં આવી રહ્યું છે…”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. 

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગૂગલ પર તેના વિશે સર્ચ કર્યું. 8 ફેબ્રુઆરીના રોજ અમર ઉજાલાની વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે, ”શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં 50 પૂજારીઓની નિમણૂક કરવામાં આવશે. મુખ્ય પૂજારીને 90 હજાર રૂપિયા, કનિષ્ઠ પૂજારીને 80 હજાર રૂપિયા અને સહાયકને 65 હજાર રૂપિયા આપવામાં આવશે. નિમણૂક માટે જાહેરાતો આપવામાં આવશે.” આ સમાચાર અહીં વાંચી શકાય છે.

સર્ચ દરમિયાન Jagran.com પર એક સમાચાર મળ્યા. તેને 9 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે કાશી વિશ્વનાથ મંદિરમાં હવે સેવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પૂજારીઓની નિમણૂક પ્રક્રિયા, પગાર ધોરણ, પૂજારીઓની નિવૃત્તિ સહિતના તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંદિરમાં લગભગ 50 પૂજારી હશે, જેમાં મુખ્ય, જુનિયર અને સહાયક પૂજારી વગેરે જેવી શ્રેણીઓ હશે. 

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા કાશી વિશ્વનાથ મંદિરના જનસંપર્ક અધિકારી પીયૂષ તિવારી સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. માહિતી આપતાં તેમણે કહ્યું કે 50 હજાર પૂજારીઓની ભરતીની વાત ખોટી છે. સાચી સંખ્યા 50 છે.

છેલ્લે વિશ્વાસ ન્યૂઝ ભ્રામક મેસેજ વાયરલ કરનાર યુઝરની તપાસ કરી. જાણવા મળ્યું કે લગભગ બે હજાર લોકો ફેસબુક યુઝર સતીશ કુમાર પિલ્લઈને ફોલો કરે છે. યુઝર રાજસ્થાનના ભરતપુરનો રહેવાસી છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ મેસેજની તપાસ કરી. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. કાશી વિશ્વનાથ મંદિરમાં 50 હજાર નહીં પરંતુ 50 પૂજારીની નિમણૂક કરવામાં આવશે.

  • Claim Review : બનારસના કાશી વિશ્વનાથ મંદિરને 50 હજાર પૂજારીઓની જરૂર છે.
  • Claimed By : ફેસબુક યુઝર સતીશ કુમાર પિલ્લઈ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later