X
X

Fact Check: મિથુન ચક્રવર્તીના નિધનનો ફેક મેસેજ વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં મિથુન ચક્રવર્તીના નિધન સાથે સંબંધિત પોસ્ટ ફેક સાબિત થઈ. મિથુન ચક્રવર્તીની અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેઓ બિલકુલ સ્વસ્થ છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીની અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો કેટલાક લોકો સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મિથુન ચક્રવર્તીનું નિધન થઈ ગયું છે. આ વાતને સાચી માનીને તેમના ચાહકો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ મેસેજની તપાસ કરી. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ફેક છે. મિથુન ચક્રવર્તીના નિધન સાથે જોડાયેલો મેસેજ ફેક છે. 

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર Behpurpushkar999એ 14 ફેબ્રુઆરીએ એક મેસેજમાં લખ્યું કે, “પ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીનું નિધન થયું છે.”

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.

તપાસ

મિથુન ચક્રવર્તી સાથે સંબંધિત મેસેજની સત્યતા જાણવા માટે અમે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. સર્ચ કરવા પર અમને ઘણી વેબસાઇટ્સ પર સમાચાર મળ્યા કે મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણી ન્યૂઝ વેબસાઇટ્સે આ અંગે વિગતવાર સમાચાર પ્રકાશિત કર્યા છે. ઈન્ડિયા ટીવીની વેબસાઈટ પર પણ આને લગતા સમાચાર જોવા મળ્યા. 12 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર, ”અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીમાં ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલરના લક્ષણો જોવા મળ્યા બાદ શનિવારની સવારે તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાને સોમવારે બપોરે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.” આ સમાચારને અહીં વાંચી શકાય છે.

સર્ચ દરમિયાન ભાસ્કર.કોમ પર એક સમાચાર મળ્યા. જેમાં કહેવામાં આવ્યું છે કે, ”પીઢ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ 10મી ફેબ્રુઆરીની સવારે તેમને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે 73 વર્ષીય અભિનેતાએ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે તેઓ હવે એકદમ સ્વસ્થ છે અને જલ્દી કામ પર પરત ફરી શકે છે. મિથુન ચક્રવર્તીએ એમ પણ કહ્યું હતું કે તેમની બગડતી તબિયત માટે પીએમ નરેન્દ્ર મોદીએ તેમને ઠપકો આપ્યો હતો.” આ સમાચારને અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે મુંબઈમાં બોલિવૂડને કવર કરતા દૈનિક જાગરણના વરિષ્ઠ પત્રકાર સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ પોસ્ટને ફેક ગણાવી.

તપાસના અંતે Behpurpushkar999 નામના ફેસબુક યુઝરના એકાઉન્ટની તપાસ કરવામાં આવી હતી. આ એકાઉન્ટને 52 હજારથી વધુ લોકો લાઈક કરે છે, જ્યારે ફોલોઅર્સની સંખ્યા 66 હજાર છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં મિથુન ચક્રવર્તીના નિધન સાથે સંબંધિત પોસ્ટ ફેક સાબિત થઈ. મિથુન ચક્રવર્તીની અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેઓ બિલકુલ સ્વસ્થ છે.

  • Claim Review : મિથુન ચક્રવર્તીનું નિધન
  • Claimed By : ફેસબુક યુઝર Behpurpushkar999
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later