X
X

Fact Check: રામલલાના સમાચારને ઉઘાડા પગે વાંચનાર એન્કર એચ. આર રંગનાથ મુસ્લિમ નહીં હિન્દુ છે

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પોસ્ટમાં રામલલાના સમાચાર વાંચનાર એન્કરનું નામ એચ.આર રંગનાથ છે. તેઓ મુસ્લિમ નહીં, પરંતુ હિન્દુ છે અને કન્નડના મીડિયા હાઉસ ‘પબ્લિક ટીવી’ના સંસ્થાપક છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં એક વ્યક્તિ ઉઘાડાપગે ઊભા રહીને ભગવાન રામના સમાચાર વિશે જણાવતા જોવા મળી રહ્યા છે. પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ એક મુસ્લિમ છે, જેમણે ભગવાન રામ પ્રત્યે શ્રદ્ધા દર્શાવતા સમાચાર વાંચતા પહેલા પોતાના બૂટ ઉતારી દીધા.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. પોસ્ટમાં સમાચાર વાંચી રહેલા એન્કરનું નામ એચ.આર રંગનાથ છે. તેઓ મુસ્લિમ નહીં, પરંતુ હિન્દુ છે અને કન્નડ મીડિયા હાઉસ ‘પબ્લિક ટીવી’ના સંસ્થાપક છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર કુમાર ધનંજય વત્સે 2 ફેબ્રુઆરી 2024ના રોજ વાયરલ પોસ્ટને શેર કરી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “કર્ણાટકમાં ટીવી ચેનલના – ન્યૂઝ એન્કરે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિ વિશે રિપોર્ટિંગ કરતી વખતે તેમના બૂટ ઉતારી નાખ્યા. તેઓ મુસ્લિમ ધર્મના છે, તેમના વિશે તમે શું કહેશો?”

પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે જોડાયેલ રિર્પોટ કન્નડ વેબસાઈટ ન્યૂઝ મલનાડ પર મળ્યો. રિર્પોટને 21 જાન્યુઆરી 2024ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. કન્નડ ભાષામાં પ્રકાશિત રિર્પોટ મુજબ, રામલલાના સમાચાર વાંચનાર એન્કરનું નામ એચ.આર રંગનાથ છે, જોઓ ‘પબ્લિક ટીવી’ના સ્થાપક છે.

‘પબ્લિક ટીવી’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સ્કેન કરતાં અમને એચ. આર રંગનાથના કેટલાક વીડિયો મળ્યા, જેમાં તેઓ ઉઘાડા પગે રામલલાના સમાચાર વાંચતા જોવા મળી રહ્યા છે.

https://youtu.be/6Q8Oj1NWL50

વધુ જાણકારી માટે અમે બેંગલુરુના રિપોર્ટર યાસિર ખાન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે એચ.આર રંગનાથ કન્નડના દિગ્ગજ પત્રકારોમાંથી એક છે. તેઓ ઘણા વર્ષોથી આ રીતે રિપોર્ટિંગ કરી રહ્યા છે, તેઓ મુસ્લિમ નહીં હિન્દુ છે.

https://twitter.com/BharatTemples_/status/1291634111178629121
https://twitter.com/HareeshKalburgi/status/1193421453565104130

અમે ‘પબ્લિક ટીવી’ને પણ મેઈલ કરેલો છે. જવાબ આવશે ત્યારે રિપોર્ટને અપડેટ કરી દેવામાં આવશે.

છેલ્લે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 1.2 હજાર ફ્રેન્ડ્સ છે. યુઝરે પ્રોફાઈલ પર પોતાને બિહારનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે પોસ્ટમાં રામલલાના સમાચાર વાંચનાર એન્કરનું નામ એચ.આર રંગનાથ છે. તેઓ મુસ્લિમ નહીં, પરંતુ હિન્દુ છે અને કન્નડના મીડિયા હાઉસ ‘પબ્લિક ટીવી’ના સંસ્થાપક છે.

  • Claim Review : મુસ્લિમ ન્યૂઝ એન્કરે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિ વિશે રિપોર્ટિંગ કરતી વખતે પોતાના બૂટ ઉતારી દીધા
  • Claimed By : ફેસબુક યુઝર કુમાર ધનજંય વત્સ
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later