X
X

Fact Check: આતંકવાદી મસૂદ અઝહરના મોતનો દાવો કરતો આ વાયરલ વીડિયો જૂનો છે

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તે નવેમ્બર 2023માં પાકિસ્તાનના ખૈબરપખ્તુનખ્વામાં થયેલા બ્લાસ્ટનો છે, આ કોઈ તાજેતરની ઘટના નથી. આ સિવાય આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના મોતની પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

  • By: Umam Noor
  • Published: Jan 9, 2024 at 11:28 AM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોરદાર બ્લાસ્ટ થતો જોઈ શકાય છે. વીડિયોને શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાનમાં થયેલા આ બ્લાસ્ટમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર માર્યો ગયો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તે નવેમ્બર 2023માં પાકિસ્તાનના ખૈબરપખ્તુનખ્વામાં થયેલા બ્લાસ્ટનો છે, આ કોઈ તાજેતરની ઘટના નથી. આ સિવાય આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના મોતની પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝરે વાયરલ પોસ્ટને શેર કરતા લખ્યું છે કે, “મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં ભાવલપુર મસ્જિદથી પરત ફરી રહ્યો હતો… બ્લાસ્ટમાં ‘માયો’ ગયો. શા માટે હત્યા કરવામાં આવી તે હું તમને પછી જણાવીશ.”

પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

અમારી તપાસને શરૂ કરતા અમે સૌથી પહેલા ગૂગલ લેન્સની મદદથી વાયરલ વીડિયોની કીફ્રેમ્સને સર્ચ કરવાનું શરૂ કર્યું. સર્ચમાં અમને યુરોપ કોગ્નિઝન્ટના એક્સ  (ટ્વિટર) હેન્ડલ પર 4 નવેમ્બર 2023ના રોજ અપલોડ કરાયેલો આ વીડિયો મળ્યો. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, ડેરા ઈસ્માઈલ ખાનમાં પોલીસના વાહનને નિશાન બનાવીને કરવામાં આવેલા બ્લાસ્ટમાં 6 લોકોના મોત થઈ ગયા અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

https://twitter.com/EuropeCognizant/status/1720519800458506676

આ જ આધારે અમે અમારી તપાસ આગળ વધારી અને અમે 3 નવેમ્બર 2023ના રોજ TRTની વેબસાઈટ પર આ બાબત સાથે જોડાયેલા સમાચાર મળ્યા. સમાચારમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ”ડેરા ઈસ્માઈલ ખાનમાં ટેન્ક બેઝ પર પોલીસ વાનની પાસે બ્લાસ્ટ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે અને 20 લોકો ઘાયલ થઈ ગયા છે, જેમને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. શરુઆતી માહિતી અનુસાર, એક પોલીસ વાનને નિશાન બનાવવામાં આવી છે.”

વોઈસ ઓફ અમેરિકા ઉર્દુ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, “ડીઆઈ ખાનના ટેન્ક બેઝમાં થયેલા વિસ્ફોટમાં નાગરિકોના મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે ઈજાગ્રસ્તોમાં પોલીસ અને અન્ય સુરક્ષા અધિકારીઓ પણ સામેલ છે.”

Tribune.pk વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ”શુક્રવારે ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાન શહેરમાં પોલીસને નિશાન બનાવીને કરવામાં આવેલ બોમ્બ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા. બચાવ અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પ્રારંભિક તપાસ મુજબ, બ્લાસ્ટમાં વિસ્ફોટકોથી ભરેલી એક મોટરસાઈકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોની ઉંમર 15થી 20 વર્ષની વચ્ચે હતી. આ સમાચારને અહીં વાંચી શકાય છે.”

પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનના નેતા અલી વઝીરે પોતાના એક્સ (ટ્વિટર) હેન્ડલ પર વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાતની તસવીરો અને તે જ વાયરલ વીડિયો પણ શેર કર્યો છે.

અમારી તપાસને ચાલુ રાખતા અમે આતંકવાદી મસૂદ અઝહરના મોતના પાછળનું સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. સર્ચમાં અમને આની પુષ્ટિ કરનારી કોઈ વિશ્વસનીય ન્યૂઝ અથવા સત્તાવાર જાહેરાત મળી નથી.

વાયરલ વીડિયોની પુષ્ટિ કરવા માટે અમે પાકિસ્તાનના પત્રકાર આદિલ અલી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું “વીડિયો જૂનો છે.” 

ફેક પોસ્ટ શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરના 1900 ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે તે નવેમ્બર 2023માં પાકિસ્તાનના ખૈબરપખ્તુનખ્વામાં થયેલા બ્લાસ્ટનો છે, આ કોઈ તાજેતરની ઘટના નથી. આ સિવાય આતંકવાદી મૌલાના મસૂદ અઝહરના મોતની પણ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

  • Claim Review : પાકિસ્તાનમાં થયેલા આ બ્લાસ્ટમાં જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર માર્યો ગયો
  • Claimed By : FB User: Raj Kumar Sharma
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later