X
X

Fact Check: MP માં ક્રિસમસને લઈને રાજ્ય સરકારે સ્કૂલોને નથી આપ્યો કોઈ આદેશ, ભ્રામક દાવો વાયરલ

મધ્યપ્રદેશના શાજાપુર અને ઉજ્જૈનમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓએ સ્કૂલોને આદેશ આપ્યો છે કે કોઈપણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે તેમના માતાપિતાની પરવાનગી લેવી જરૂરી છે. રાજ્ય સરકારે આવો કોઈ આદેશ આપ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો ભ્રામક છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ક્રિસમસ પહેલા મધ્યપ્રદેશની નવી સરકારને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. એમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સીએમ ડૉ. મોહન યાદવે 25 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓને ‘સાંતાક્લોઝ’ બનાવતી પ્રાઈવેટ સ્કૂલો પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના નવા સીએમને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. રાજ્ય સરકારે આવો કોઈ આદેશ આપ્યો નથી. હા, રાજ્યના શાજાપુર અને ઉજ્જૈનમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓએ આ આદેશ જરુર આપ્યો છે કે માતા-પિતાની પરવાનગી વિના કોઈપણ બાળકને કાર્યક્રમમાં સામેલ કરવામાં ન આવે.

શું છે વાયરલ પોસ્ટ

“ફેસબુક યુઝર ‘State Press Club, Madhya Pradesh’ (આર્કાઇવ લિંક)એ 21 ડિસેમ્બરે ડૉ. મોહન યાદવનો તસવીર પોસ્ટ કરતા લખ્યું,

મુખ્યમંત્રી ડો.મોહન યાદવે જારી કર્યો એક નવો આદેશ

પ્રાઈવેટ સ્કૂલો પર રહેશે કડક નજર

મુખ્યમંત્રી ડો.મોહન યાદવે હવે એક નવો આદેશ આજે જારી કર્યો છે. જેમાં આગામી 25મી ડિસેમ્બરે વિદ્યાર્થીઓને ‘સાન્તાક્લોઝ’ બનાવવા પર પ્રાઈવેટ  સ્કૂલો પર કરવામાં આવશે કાર્યવાહી.

ફેસબુક પર કેટલાક અન્ય યુઝર્સે આવી પોસ્ટને શેર કરી છે.

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા કીવર્ડ્સથી આ વિશે Google પર સર્ચ કર્યું, પરંતુ MP સરકાર દ્વારા આવા કોઈ આદેશના સમાચાર મળ્યા નથી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના સત્તાવાર એક્સ હેન્ડલ પર પણ આ પ્રકારની કોઈ માહિતી નથી.

20 ડિસેમ્બરના રોજ નઈદુનિયામાં છપાયેલા સમાચારમાં લખવામાં આવ્યું છે કે, એમપીના શાજાપુર જિલ્લા શિક્ષણ અધિકારી વિવેક દુબેએ ખાનગી અને સરકારી સ્કૂલોને આદેશ આપ્યો છે કે બાળકોને સાન્તાક્લોઝ બનાવતા પહેલા તેમના માતા-પિતાની પરવાનગી લેવામાં આવે. આદેશમાં લખવામાં આવ્યું છે કે ક્રિસમસ નિમિત્તે આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને તેમના માતા-પિતાની લેખિત પરવાનગી લીધા પછી જ તેમને સામેલ કરવામાં આવે.

ABP લાઈવની વેબસાઈટ પર પણ આ પ્રકારના સમાચારને જોઈ શકાય છે. એમાં એવું નથી કહેવામાં આવ્યું કે આ આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે.

આ પ્રકારનો આદેશ ઉજ્જૈનમાં પણ આપવામાં આવ્યો હતો. આમાં પણ ઉજ્જૈનના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવેલા આદેશ જણાવવામાં આવ્યો છે. તેના રિર્પોટને અહીં જોઈ શકાય છે.

આ વિશે અમે નઈદુનિયા દ્રારા મધ્ય પ્રદેશમાં શિક્ષણ વિભાગને આવરી લેતી પત્રકાર અંજલિ રાય સાથે વાત કરી. તેમનું કહેવું છે, સરકાર દ્વારા આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો નથી. શાજાપુરમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમના તરફથી આદેશ આપ્યો છે કે માતાપિતાની પરવાનગી વિના વિદ્યાર્થીઓને આ પ્રકારના કોઈપણ કાર્યક્રમમાં સામેલ કરવામાં ન આવે.

ભ્રામક દાવો શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઇલને અમને સ્કેન કરી. 25 જાન્યુઆરી 2017ના રોજ બનેલા આ પેજના લગભગ 74 હજાર ફોલોઅર્સ છે.

निष्कर्ष: મધ્યપ્રદેશના શાજાપુર અને ઉજ્જૈનમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓએ સ્કૂલોને આદેશ આપ્યો છે કે કોઈપણ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સામેલ કરવા માટે તેમના માતાપિતાની પરવાનગી લેવી જરૂરી છે. રાજ્ય સરકારે આવો કોઈ આદેશ આપ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો દાવો ભ્રામક છે.

  • Claim Review : સીએમ ડૉ.મોહન યાદવે 25 ડિસેમ્બરે વિદ્યાર્થીઓને 'સાંતાક્લોઝ' બનાવતી પ્રાઈવેટ સ્કૂલો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
  • Claimed By : FB User- State Press Club, Madhya Pradesh
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later