X
X

Fact Check: મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નામે ફેક લેટર વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદને લઈને ભાજપના નામે વાયરલ થયેલો લેટર ફેક છે. ભાજપ તરફથી હજુ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કે પછી નાયબ મુખ્યમંત્રીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. આ સાથે જ સૌની નજર આ વાત પર છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ બનશે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ભાજપના નામે વાયરલ થયેલા આ લેટરમાં દાવો કરવામાં આવ્યો છે કે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. આ લેટર અનુસાર, શિવરાજ સિંહ ચૌહાણને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ પ્રહલાદસિંહ પટેલ અને રીતિ પાઠકની નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ લેટરની તપાસ કરી. તપાસ દરમિયાન આ લેટર ફેક સાબિત થયો. ભાજપ તરફથી હજુ સુધી મધ્યપ્રદેશ માટે મુખ્યમંત્રી કે પછી નાયબ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. 

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘મનીષ પટેલ’એ 7 ડિસેમ્બર 2023ના રોજ વાયરલ લેટરને પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે, ”મામા ખેલાડી છે, મામા નહીં તો ભાજપ નહીં. અભિનંદન.”

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. આ લેટરને ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર પણ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને Jagran.com પર એક સમાચાર મળ્યા. 9 ડિસેમ્બરે પ્રકાશિત આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કોણ હશે, તે અંગે ચાલી રહેલી તમામ અટકળોની વચ્ચે ભાજપ વિધાયક દળની બેઠક સોમવારે સાંજે 7 વાગ્યે બોલાવવામાં આવી છે. તેમાં મુખ્યમંત્રીના નામને લઈને પ્રસ્તાવ મુકવામાં આવશે.

તપાસને આગળ વધારતા અમે મધ્યપ્રદેશ ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટને સ્કેન કરવાનું શરૂ કર્યું. એક પોસ્ટ અમને  MP BJPના સત્તાવાર એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર 8 ડિસેમ્બર 2023ના રોજ અપલોડ થયેલી મળી. તેમાં ભાજપ સંસદીય બોર્ડે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટી ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂક કરવાની જાહેરાત કરી છે.

વધુ જાણકારી માટે અમે મધ્યપ્રદેશના ભાજપના પ્રવક્તા પંકજ ચતુર્વેદી સાથે સંપર્ક કર્યો. તેઓએ વાયરલ થયેલા લેટર ફેક ગણાવતા કહ્યું કે અત્યાર સુધી મુખ્યમંત્રી પદ માટે કોની પસંદગી કરવામાં આવશે. આ અંગે નિર્ણય લેવાયો નથી.

અંતે અમે ખોટા દાવાને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરે પ્રોફાઇલ પર પોતાને ઉત્તરપ્રદેશના બસ્તીનો રહેવાસી ગણાવ્યો છે. યુઝરને 4.6 હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદને લઈને ભાજપના નામે વાયરલ થયેલો લેટર ફેક છે. ભાજપ તરફથી હજુ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કે પછી નાયબ મુખ્યમંત્રીના નામનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

  • Claim Review : ફેસબુક યુઝર મનીષ પટેલ
  • Claimed By : લેટર અનુસાર, ભાજપે શિવરાજસિંહને બનાવ્યા મુખ્યમંત્રી
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later