X
X

Fact Check: PM મોદીના પત્ની જશોદાબેનની એડિટેડ તસવીર સોશિયલ મીડિયા પર થઈ રહી છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જશોદાબેનની વાયરલ તસવીરને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. અસલી તસ્વીરમાં જશોદાબેને હાથમાં એક RTIની અરજી પકડેલી છે, જેને એડિટ કરીને દુષ્પ્રચાર ફેલાવવાના હેતુથી બદલવામાં આવી છે.

  • By: Pragya Shukla
  • Published: Dec 5, 2023 at 11:26 AM
  • Updated: Dec 13, 2023 at 02:13 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની એક કથિત તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે જશોદાબેન ઉભા છે અને તેઓના હાથમાં એક પોસ્ટર છે. આ પોસ્ટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાંધાજનક વાતો લખવામાં આવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને અસલી સમજીને શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જશોદાબેનની વાયરલ તસવીરને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. અસલી તસ્વીરમાં જશોદાબેને હાથમાં એક RTIની અરજી પકડેલી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘મહાવીર મહાવીર’એ વાયરલ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “આમને તો દેશવાસીઓ અને મોદીભક્તો પણ ઓળખતા જ હશે.”

જશોદાબેનના હાથમાં રહેલા પોસ્ટમાં લખેલું છે કે, ”મારા પતિ મારા ન થઈ શક્યા, તો તમારા અને દેશવાસીઓના કેવી રીતે થશે. શું આ છે મહિલા સશક્તિકરણ…? જશોદાબેન”

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે આ ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કર્યો. અમને અસલી તસવીર નઈદુનિયાના એક રિપોર્ટમાં મળી. આ રિપોર્ટને 11 ફેબ્રુઆરી 2016ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. અસલી તસ્વીરમાં જશોદાબેનના હાથમાં એક કાગળને જોઈ શકાય છે. રિપોર્ટ અનુસાર, પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાને કારણે જશોદાબેનની પાસપોર્ટ અરજીને સ્વીકારવામાં આવી ન હતી, જે બાદ તેમણે પીએમ મોદીનો પાસપોર્ટ કેવી રીતે બન્યો તે જાણવા માટે એક આરટીઆઈ કરી હતી.

અન્ય ન્યૂઝ રિપોર્ટને અહીં જોઈ શકાય છે.

NDTVની વેબસાઈટ પર 11 ફેબ્રુઆરી, 2023ના રોજ પ્રકાશિત થયેલા એક વીડિયો રિપોર્ટ અનુસાર, પાસપોર્ટની અરજી કરતી વખતે જશોદાબેન પાસે લગ્ન સંબંધિત ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પરિણીત હોવાનું સર્ટિફિકેટ રજૂ કરી શક્યા ન હતા, જેના કારણે તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. આ પછી તેમણે એક આરટીઆઈ કરીને પીએમ મોદીના પાસપોર્ટ સાથે સંબંધિત માહિતી અને કોપી માંગી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જશોદાબેનના હાથમાં આરટીઆઈ અરજી સાથે સંબંધિત ડોક્યુમેન્ટ છે. 

વધુ જાણકારી માટે અમે ભાજપના પ્રવક્તા વિજય સોનકર સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ દાવાને નકારી કાઢ્યો છે અને તેને ખોટો અને એડિટેડ ગણાવ્યો છે.

વાયરલ તસવીરને લઈને અમે ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપૂરિયા સાથે સંપર્ક કર્યો હતો. તેઓએ અમને જણાવ્યું કે વાયરલ તસવીરને એડિટ કરવામાં આવી છે. અસલી તસવીર ઘણી જૂની છે અને તેઓના હાથમાં આરટીઆઈના ડોક્યુમેન્ટ છે.

છેલ્લે અમે એડિટડ ફોટાને શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર રાજસ્થાનનો રહેવાસી છે. યુઝરને 4.6 હજાર લોકો ફોલો કરે છે.

અસ્વીકરણ: કેટલાક અપ્રાસંગિક ભાગને દૂર કરીને આ અહેવાલને અમારી એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) અને સ્થાપિત કાર્ય પ્રણાલી (મેથોડોલોજી) મુજબ અપડેટ કરાયો છે, જેનાથી આ ફેક્ટ ચેકના પરિણામોમાં કોઈ ફેરફાર આવ્યો નથી.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જશોદાબેનની વાયરલ તસવીરને લઈને જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. અસલી તસ્વીરમાં જશોદાબેને હાથમાં એક RTIની અરજી પકડેલી છે, જેને એડિટ કરીને દુષ્પ્રચાર ફેલાવવાના હેતુથી બદલવામાં આવી છે.

  • Claim Review : જશોદાબેને પીએમ મોદી વિશે વાંધાજનક વાતો કહી.
  • Claimed By : ફેસબુક યુઝર 'મહાવીર મહાવીર'
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later