X
X

Fact Check: શુભમન ગિલ અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાનના નિધનની ફેક પોસ્ટ થઈ વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે શુભમન ગિલ અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન બંને જ સ્વસ્થ છે. આ વીડિયો દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે બનાવવામાં આવ્યો છે. વાયરલ વીડિયોને એડિટ કરીને લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે બનાવવામાં આવ્યો છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા જ ક્રિકેટર શુભમન ગિલને ડેન્ગ્યુ થઈ ગયો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની સાથે જોડીને એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શુભમન ગિલનું નિધન થઈ ગયું છે. આવી જ એક પોસ્ટ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાનના નામે વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં તેમનું નિધન થઈ ગયું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. શુભમન ગિલ અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન બંને જ સ્વસ્થ છે. વાયરલ વીડિયોને એડિટ કરીને લાઈક અને વ્યુઝ મેળવવા માટે બનાવવામાં આવ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘રોમેશ કુમારે’ 9 ઓક્ટોબર 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરી છે. પોસ્ટ પર લખ્યું છે, ”વર્લ્ડ કપ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયામાં છવાયો માતમ, યુવા બેટ્સમેન શુભમન ગિલનું થયું નિધન.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

ફેસબુક યુઝર ‘સોના બેબી’એ 2 ઓક્ટોબર 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “વર્લ્ડ કપ પહેલા જ મોહમ્મદ રિઝવાનનું ભારતમાં થયું નિધન.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. TV9ની વેબસાઈટ પર 10 ઓક્ટોબર 2023ના રોજ પ્રકાશિત એક રિર્પોટ અનુસાર, “ભારતીય ઓપનર શુભમન ગિલ હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. જણાવી દઈએ કે પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે શુભમન ગિલને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે સમાચાર એજન્સી PTIએ BCCIના સૂત્રોને ટાંકીને જાણકારી આપી છે કે તેઓ ડિસ્ચાર્જ થઈને હોટલ આવી ગયા છે.”

તપાસને આગળ વધારતા અમે પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને જાણવા મળ્યું કે ક્રિકેટર મોહમ્મદ રિઝવાન એકદમ સ્વસ્થ છે અને તેઓ સતત મેચ રમી રહ્યા છે. ઝી ન્યૂઝ વેબસાઈટ પર 7 ઓક્ટોબર 2023ના રોજ પ્રકાશિત થયેલા રિર્પોટ મુજબ, “ICC વર્લ્ડ કપ અંતર્ગત નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ સોશિયલ મીડિયા પર હંગામો શરૂ થઈ ગયો. મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના વિકેટ કીપર મોહમ્મદ રિઝવાને ગ્રાઉન્ડ પર ડ્રિંક બ્રેક દરમિયાન નમાઝ અદા કરી હતી. જોકે આ પહેલીવાર નથી, જ્યારે રિઝવાને ગ્રાઉન્ડ પર બ્રેક દરમિયાન નમાઝ અદા કરી હોય. તેઓએ આ પહેલા પણ T20 વર્લ્ડ કપ 2021 અંતર્ગત ભારત સામેની મેચ દરમિયાન નમાઝ અદા કરી હતી.”

વધુ જાણકારી માટે અમે આ વિષય પર સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ અને કોમેન્ટેટર સૈયદ હુસૈન સાથે વાત કરી. તેમણે બંને વાયરલ થયેલા દાવાઓને ખોટા ગણાવ્યા છે.

છેલ્લે અમે વાયરલ પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝર આ પ્રકારની ખોટી પોસ્ટને શેર કરે છે. યુઝરને 3.3 હજાર લોકો ફોલો કરે છે. 

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે શુભમન ગિલ અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન બંને જ સ્વસ્થ છે. આ વીડિયો દુષ્પ્રચાર ફેલાવવાના ઈરાદાથી લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે બનાવવામાં આવ્યો છે. વાયરલ વીડિયોને એડિટ કરીને લાઈક્સ અને વ્યુઝ મેળવવા માટે બનાવવામાં આવ્યો છે.

  • Claim Review : શુભમન ગિલ અને પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાનનું થયું નિધન
  • Claimed By : ફેસબુક યુઝર રોમેશ કુમાર
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later