X
X

Fact Check: તનિષ્ક નથી આપી રહ્યું નવરાત્રીની ગિફ્ટ, વાયરલ પોસ્ટ એક સ્કેમ છે

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં તનિષ્ક તરફથી નવરાત્રીની ગિફ્ટ આપવામાં આવી રહી હોવાનો વાયરલ દાવો ખોટો સાબિત થયો. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) વોટ્સએપ પર જ્વેલરી બ્રાન્ડ તનિષ્કના નામે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં એક લિંક આપવામાં આવી છે, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તનિષ્ક નવરાત્રીના પર્વ પર ગ્રાહકોને ભેટ આપી રહ્યું છે, જેમાં iPhone 15 પણ સામેલ છે. ઘણા યુઝર્સ તેને સાચું માનીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક તરફથી નવરાત્રી પર આવી કોઈ ગિફ્ટ આપવામાં આવી રહી નથી. ખોટા દાવા સાથે ફિશિંગ લિંક વાયરલ થઈ રહી છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

વોટ્સએપ પર શેર કરવામાં આવેલ આ મેસેજમાં લખ્યું છે કે, ”️તનિષ્ક-નવરાત્રી ગિફ્ટ. iPhone 15 જીતવા માટે સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લો.” સાથે એક લિંક પણ આપવામાં આવી છે.

આ અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે આ દાવો ફેસબુક પર પણ ખૂબ વાયરલ છે. Avk ઠાકુર (Avk Thakur) નામના એક ફેસબુક યુઝરે 11 ઓક્ટોબરે આ લિંકને શેર કરીને લખ્યું, “iPhone 15 જીતો, તનિષ્ક ઓફર.”

તપાસ

નવરાત્રી પર તનિષ્ક સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહેલી લિંકની તપાસ કરવા માટે અમે ગૂગલ સર્ચની મદદ લીધી. અમને આ દાવા સાથે સંબંધિત કોઈ પણ રિપોર્ટ મળ્યો નથી. તપાસને આગળ વધારતા અમે તનિષ્કની વેબસાઈટને સ્કેન કરવાનું શરૂ કર્યું. અમને આવી કોઈ ઓફર વિશે માહિતી મળી નથી.

તનિષ્ક એક ફેમસ જ્વેલરી બ્રાન્ડ છે, જો તનિષ્ક તરફથી આવી કોઈ પણ ગિફ્ટ આપવામાં આવી રહી છે તો તેણે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર તેને લગતી પોસ્ટ ચોક્કસપણે કરી હશે. તેથી અમે તનિષ્કના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ તપાસ્યા, પરંતુ અમને વાયરલ દાવા સાથે સંબંધિત કોઈ પોસ્ટ ન મળી. અમને તનિષ્કના ફેસબુક પેજ પર તાજેતરની ઓફર સાથે સંબંધિત એક પોસ્ટ મળી. પોસ્ટ અનુસાર, તનિષ્ક સોના અને હીરાની જ્વેલરીના મેકિંગ ચાર્જ પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. પરંતુ ફ્રી ગિફ્ટ જીતવાવાળી પોસ્ટ ક્યાંય ન મળી.

અમારી અહીં સુધીની તપાસથી આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે તનિષ્ક તરફથી નવરાત્રી પર આવી કોઈ ગિફ્ટ આપવામાં આવી રહી નથી. તપાસને આગળ વધરાતા અમે પોસ્ટમાં આપવામાં આવેલી લિંકની તપાસ કરી. અમે આપેલી લિંક પર ક્લિક કર્યું. લિંક ખુલતાં જ લખેલું આવ્યું કે આ સાઈટ સુરક્ષિત નથી.

અમે આ વિષયમાં વધારે જાણકારી માટે સાયબર સુરક્ષા નિષ્ણાંત અને રાજસ્થાન સરકારની પબ્લિક ગ્રીવાન્સ કમિટીના પૂર્વ આઈટી સલાહકાર આયુષ ભારદ્વાજ સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે, આ ફિશિંગ લિંક છે. આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો. 

અમે આ વિષયમાં તનિષ્કના કસ્ટમર કેર નંબર પર ફોન કરીને માહિતી મેળવી. અમને કહેવામાં આવ્યું કે આ દાવો ખોટો છે. તનિષ્ક દ્વારા આવું કોઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું નથી.

તપાસના અંતે અમે આ પોસ્ટને શેર કરનાર યુઝરની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે ફેસબુક યુઝર Avk Thakur શિમલાનો રહેવાસી છે. યુઝરના 4000થી વધુ ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં તનિષ્ક તરફથી નવરાત્રીની ગિફ્ટ આપવામાં આવી રહી હોવાનો વાયરલ દાવો ખોટો સાબિત થયો. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરો.

  • Claim Review : તનિષ્ક નવરાત્રી ગિફ્ટ, iPhone 15 જીતવાની તક
  • Claimed By : Facebook User
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later