X
X

Fact Check: અતીક અહેમદ હત્યાકાંડ પર કોંગ્રેસ નેતા કમલનાથનો અધૂરો વીડિયો ભ્રામક દાવાની સાથે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથના નિવેદનની 18 સેકન્ડની એક વીડિયો ક્લિપને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે યુપીના માફિયા અતીક અહેમદના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ ક્લિપની સાથે કરવામાં આવી રહેલા દાવાની તપાસ કરી. આ દાવો ભ્રામક સાબિત થયો. વાસ્તવમાં જ્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં કમલનાથને અતિક અહેમદની હત્યાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જવાબ આપ્યો હતો. પરંતુ તેમના આખા વીડિયોમાંથી અધૂરો ભાગને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર વિષ્ણુ ડાંગીએ 18 સેકન્ડની એક ક્લિપ અપલોડ કરતા લખ્યું, “આ સ્થિતિ છે આપણા રાજ્ય મધ્યપ્રદેશમાં. કોંગ્રેસના રાજકારણીઓની માનસિકતા અને તેમના વિચારને જુઓ, કેવી રીતે ખુલ્લેઆમ માફિયાઓને સમર્થન કરી રહ્યા છે તેમની સરકાર હોત તો ખબર નહીં અત્યાર સુધી શું કરાવી દેત. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ કહી રહ્યા છે કે યુ.પીમાં માફિયાઓની સાથે ખોટું થઈ રહ્યું છે, તેમનું કામ જ દેશમાં અરાજકતા ફેલાવવાનું છે અને પોતાની સરકાર લાવવાનું છે, પછી ભલે તે ગમે તે રીતે આવે, ભલે દેશ બળી જાય પણ પોતાની વોટબેંક ખુશ હોવી જોઈએ. અતીક અહેમદ વિરુદ્ધ 100થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે અને તેના સમગ્ર પરિવાર સામે કુલ 160 કેસ નોંધાયેલા છે. કોર્ટના ન્યાયાધીશ પણ અતીક અહેમદના ડરને કારણે કેસની સુનાવણી કરવાથી ઇનકાર કરી દેતા હતા અને અતીક અહેમદ મુક્તપણે ફરતો હતો.

વાયરલ ક્લિપની ઉપર લખવામાં આવ્યું છે કે: “અતિક અહેમદ મૃત્યુ પામ્યા છે, ખૂબ જ દુઃખની વાત છે: કોંગ્રેસ નેતા કમલનાથ”

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

કોંગ્રેસ નેતા કમલનાથની વાયરલ વીડિયો ક્લિપનું સત્ય જાણવા માટે સૌથી પહેલા ‘મધ્ય પ્રદેશ કોંગ્રેસ’ના ફેસબુક પેજને સ્કેન કર્યું. પેજ પર 16 એપ્રિલના રોજ અપલોડ કરાયેલો એક વીડિયો મળ્યો. ચાર મિનિટથી વધુ સમયના આ વીડિયોમાં વાયરલ ક્લિપને જોઈ શકાય છે. વીડિયોમાં પત્રકાર કમલનાથને અતિક અહેમદની હત્યા પર સવાલ પૂછી રહ્યા છે. જેના જવાબમાં કમલનાથ કહી રહ્યા છે કે “ખૂબ જ દુઃખની વાત છે. આજે આ ખુલ્લેઆમ જે હત્યાઓ થઈ રહી છે, તે શું ઈશારો કરે છે કે આપણી કાનૂની વ્યવસ્થા શું છે?. શું આપણા દેશ અને ઉત્તર પ્રદેશમાં રાજકારણ ચાલી રહ્યું છે?. ચોખી હત્યા થઈ રહી છે. એક દિવસ કોઈનું મર્ડર થાય છે, એક દિવસ કોઈના ભાઈનું થાય છે. આ શું સંકેત છે? આ તમારા બધાએ વિચારવા જેવી વાત છે, માત્ર મારા એકલાએ વિચારવાની વાત નથી. આખા સમાજે વિચારવાની વાત છે કે ક્યાં આપણો દેશ અને ક્યાં ઉત્તર પ્રદેશ જઈ રહ્યો છે. આ ઘટના જો ઉત્તર પ્રદેશમાં બની છે જે સૌથી મોટું રાજ્ય છે, ખૂબ જ કમનસીબીની વાત છે. આમાં હું સમજું છું કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ આ મામલે જાતે સંજ્ઞાન લે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.”

કીવર્ડ સર્ચ દરમિયાન MP TAKની યુટ્યુબ ચેનલ પર વાયરલ ક્લિપનું પૂરું વર્ઝન મળ્યું. તેને 16 એપ્રિલે અપલોડ કરવામાં આવ્યું હતું. 32 સેકન્ડ પછી કમલનાથના આખા નિવેદનને જોઈ શકાય છે.

કમલનાથના મીડિયા સલાહકાર પીયૂષ બબેલેએ વિશ્વાસ ન્યૂઝને જણાવ્યું કે, કમલનાથે એ જ વાત કરી છે જે યુપી સરકાર કરી રહી છે. યુપી સરકારે ખુદ અતીક અહેમદ હત્યા કેસની તપાસ ગોઠવી છે. કમલનાથનો વીડિયો અડધો કટ કરીને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા મધ્ય પ્રદેશ કોંગ્રેસના મીડિયા વિભાગના ઉપાધ્યક્ષ આનંદ જાટ સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે કમલનાથનો વીડિયો અધૂરો છે. આખો વીડિયો જોયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ થશે. કમલનાથે યુપીની કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા આ વાત કહી હતી.

તપાસના અંતે ભ્રામક પોસ્ટ કરનાર ફેસબુક યુઝરની તપાસ કરવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે ફેસબુક યુઝર વિષ્ણુ ડાંગી મધ્યપ્રદેશનો રહેવાસી છે. તેના એકાઉન્ટ પર પોલિટિકલ પોસ્ટ વધારે મળી.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અને વીડિયો ભ્રામક સાબિત થયો. કમલનાથે અતિક અહેમદની હત્યા પર શોક વ્યક્ત કર્યો ન હતો. પરંતુ તેમણે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમના નિવેદનના અધૂરા ભાગને ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે.`

  • Claim Review : કમલનાથે અતીક અહમદની હત્યા પર દુ:ખ વ્યક્ત કર્યું.
  • Claimed By : ફેસબુક યુઝર વિષ્ણુ ડાંગી
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later