X
X

Fact Check: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ઘણા વર્ષ જૂની તસવીર ભ્રામક દાવા સાથે વાયરલ

  • By: Ashish Maharishi
  • Published: Apr 11, 2023 at 10:30 AM
  • Updated: Apr 11, 2023 at 10:32 AM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યુઝ): કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદમાંથી સભ્યપદ રદ થયા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક જૂની તસવીરને વાયરલ કરવામાં આવી રહી છે. આ તસવીરમાં તેમને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સાથે બેઠેલા જોઈ શકાય છે. આ તસવીરની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીરમાં અરવિંદ કેજરીવાલ નીતિન ગડકરીની લેખિતમાં માફી માંગી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. તસવીર 2014ની છે, જ્યારે ઈ-રિક્ષાના મુદ્દાને લઈને અરવિંદ કેજરીવાલે નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. આ તસવીરને કેજરીવાલ-ગડકરી માફી એપિસોડ સાથે કોઈ લેવાદેવા નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘કટ્ટર હિન્દુ અંકુર‘એ 30 માર્ચે એક તસવીરને પોસ્ટ કરીને દાવો કર્યો કે, “આ ફોટોમાં કેજરીવાલજી સાથે નીતિન ગડકરીજી છે. હવે તમે એવું ન વિચારતા કે કેજરીવાલજી દિલ્હી માટે કોઈ રોડ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા ગયા છે. કેજરીવાલજી નીતિન ગડકરીની લેખિતમાં માફી માંગવા ગયા છે. ગડકરીજી માફી પત્ર વાંચી રહ્યા છે.

કેટલાક યુઝર્સ આ તસવીરના મધ્યમથી રાહુલ ગાંધીના લોકસભા સભ્યપદને જોડતા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યા છે. પોસ્ટને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. તેના આર્કાઇવ વર્ઝન અહીં વાંચી શકાય છે .

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે સૌથી પહેલા તેને સ્કેન કરી. અરવિંદ કેજરીવાલ અને નીતિન ગડકરીની આ તસવીરમાં ગેટ્ટી ઇમેજનું વોટરમાર્ક જોવા મળ્યું. તેના આધારે અમે ગેટ્ટી ઈમેજીસની વેબસાઈટ પર કીવર્ડ સાથે વાયરલ તસવીરને શોધવાનું શરૂ કર્યું. ત્યાં આ તસવીર કેપ્શનની સાથે મળી. તેને 16 સપ્ટેમ્બર 2014ના રોજ ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરને લઈને જણાવવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્રાન્સપોર્ટ ભવનમાં ઈ-રિક્ષાને રેગ્યુલાઇઝ કરવા માટે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી. આ મુલાકાત 16 સપ્ટેમ્બર 2014ના રોજ થઈ હતી. તસવીર વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

સર્ચ દરમિયાન અન્ય એંગલથી એક તસવીર ANIના ટ્વિટર હેન્ડલ પર પણ મળી. આને પણ 16 સપ્ટેમ્બર 2014ના રોજ ટ્વિટ કરતા બંને નેતાઓની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તપાસના આગળના તબક્કામાં એ જાણવાનું હતું કે શું અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની માફી માંગી હતી. ગૂગલ સર્ચમાં અમને આવા ઘણા મીડિયા રિર્પોટ મળ્યા, જેમાં માફીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ABP લાઈવની વેબસાઈટ પર પ્રકાશિત રિર્પોટમાં જણાવવામાં આવ્યું છે કે નીતિન ગડકરીએ 2014માં અરવિંદ કેજરીવાલ સામે માનહાનિનો કેસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, 31 જાન્યુઆરી 2014ના રોજ કેજરીવાલે જાણી જોઈને ભારતના સૌથી ભ્રષ્ટ લોકોની યાદી બહાર પાડી હતી અને આમાં નીતિન ગડકરીનો અત્યંત બેજવાબદાર રીતે ઉલ્લેખ કર્યો હતો. કેસ પછી અરવિંદ કેજરીવાલે નીતિન ગડકરીની માફી માંગી હતી. આ સમાચારને અહીં વાંચો.

આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીના પ્રવક્તા પ્રભાત અગ્રવાલે પણ તસવીરની સત્યતાની પુષ્ટિ કરતા કહ્યું કે, તસવીર 2014ની છે, જ્યારે અરવિંદ કેજરીવાલ ઈ-રિક્ષાને નિયમિત કરવા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળ્યા હતા.

તપાસને આગળ વધારતા ભ્રામક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. ફેસબુક યુઝર ‘કટ્ટર હિન્દુ અંકુર’ યુપીનો રહેવાસી છે. તેના ચાર હજારથી વધુ ફેસબુક ફ્રેન્ડ્સ છે. આ એકાઉન્ટ જાન્યુઆરી 2015માં બનાવવામાં આવ્યું હતું.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ તસવીર 2014ની હોવાનું સાબિત થયું છે. તે સમયે ઈ-રિક્ષાના મુદ્દે અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી.

  • Claim Review : તસવીરમાં અરવિંદ કેજરીવાલ નીતિન ગડકરી પાસે લેખિતમાં માફી માંગવા ગયા હતા
  • Claimed By : ફેસબુક યૂઝર કટ્ટર હિન્દુ અંકુર फेसबुक यूजर 'कट्टर हिंदू अंकुर'
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later